SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૧૪૯–૧૫૦ ગાથાર્થ ઃ આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, દૃષ્ટ-ઇષ્ટવિરુદ્ધ જે વચન છે, એવા પ્રકારના વચનથી પ્રવૃત્ત થયેલાને àચ્છાદિ ભાવતુલ્ય શુભભાવ જાણવો. ૧૪૯।। ટીકા ઃ एवं दृष्टेष्टविरुद्धं यद्वचनमीदृशात्प्रवृत्तस्य सतः म्लेच्छादिभावतुल्यः शुभभावो हंदि विज्ञेयो મોદાવિતિ ગાથાર્થઃ ।।૪।। ટીકાર્થ ઃ વં. ગાથાર્થ: ।। આ પ્રમાણે દૃષ્ટ-ઇષ્ટવિરુદ્ધ એવું જે વચન છે, એવા પ્રકારના વચનથી પ્રવૃત્ત થયેલાને મ્લેચ્છાદિ ભાવતુલ્ય શુભભાવ જાણવો; કેમ કે મોહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ।।૧૪૯।। * મૂળ ગાથામાં અને ટીકામાં ‘વિ’ અવ્યય છે, તે ઉપદર્શનાર્થક છે. ભાવાર્થ: ૩૭ ચ=ä - અહીં Íથી ગાથા-૧૪૪/૧૪૫માં વેદગતહિંસાવિષયક યાગાદિનું દૃષ્ટવિરુદ્ધ વચન બતાવ્યું અને ગાથા-૧૪૭/૧૪૭માં ઇષ્ટવિરુદ્ધ વચન બતાવ્યું, તેનો પરામર્શ કરવો છે. અને એ રીતે જે દૃષ્ટ અને ઇષ્ટ વિરુદ્ધ વચન છે, એવા દૃષ્ટ-ઈષ્ટ-વિરુદ્ધ પ્રકારના વચનથી બ્રાહ્મણો જે યાગાદિમાં પ્રવૃત્ત થાય છે, તેમને શુભભાવ થાય છે, તેમ ગાથા-૧૨૨માં કહેલ; તેને અહીં કહે છે કે, તે મોહથી મ્લેચ્છાદિ ભાવ તુલ્ય જાણવો અર્થાત્ તે વાસ્તવિક શુભભાવ નથી, પરંતુ મ્લેચ્છાદિ ભાવ તુલ્ય તે અશુભ ભાવ છે, પરંતુ શાસ્ત્રના વિષયમાં તેઓને મોહ હોવાથી શુભ ભાવ લાગે છે. વાસ્તવિક રીતે ચંડિકાદિ દેવતા આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભોગ ધરતા મ્લેચ્છોને જેમ અશુભ ભાવ છે, તેમ યજ્ઞમાં બકરાદિનો ભોગ ધરતા બ્રાહ્મણોને પણ અશુભ ભાવ છે. ૧૪૯ અવતરણિકા : 'एगिंदियाइ अह' इत्यादि यदुक्तं तत्परिहारार्थमाह અવતરણિકાર્થ : પૂર્વે ગાથા-૧૨૩માં પૂર્વપક્ષીએ ‘નાવિયાડ઼ અજ્ઞ' ઇત્યાદિથી જે કહેલું, તેના પરિહાર માટે ગ્રંથકારશ્રી કહે છે ગયા : - " एगिंदियाइभेओऽवित्थं नणु पावभेयहेउ ति । ફો તપ્ વિ સમ, તહસુવિયામેળ” ।।।।
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy