________________
૨૯૪
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિણા | ગાથા-૧૨૦
ગાથા -
"अह पाठोऽभिमउ च्चिय, विगाणमवि एत्थ थोवगाणं नु ।
લ્ય પિ પમા સર્વેસિં રંસગો " પારદા ગાથાર્થ :
પાઠ અભિમત જ છે અર્થાત્ લોક પ્રમાણ છે એ પ્રકારનો પાઠ અભિમત જ છે. વિમાન=વિપરીત કથન, પણ અહીં=વેદવચનના પ્રામાણ્યમાં, થોડાઓને જ છે. એ પ્રકારની ‘નથ’થી પૂર્વપક્ષીની આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે કે, આ કલ્પનામાં પણ પ્રમાણ નથી; કેમ કે સર્વ લોકોનું અદર્શન છે. II૧રકા ટીકા :___अथ पाठोऽभिमत एव लोकस्य प्रमाणमध्ये षण्णामुपलक्षणत्वाद्, विगानमप्यत्र वेदवचनाप्रामाण्ये स्तोकानामेव लोकानामित्येतदाशङ्क्याह-अत्रापि कल्पनायां न प्रमाणं सर्वेषां लोकानामदर्शनादल्पबहुत्वનિયમાવત્યિર્થ ારદા ટીકાર્ય :
અથ પાવો. ૩૫ક્ષત્રિા, ‘અથ'થી વેદને માનનાર પૂર્વપક્ષી કહે છે કે, લોકનો પાઠ અભિમત જ છે=“લોક પ્રમાણ છે" એ પ્રકારનો પાઠ અભિમત જ છે; કેમ કે પ્રમાણમધ્યમાં છ સંખ્યાનું ઉપલક્ષણપણું છે અર્થાત્ શાસ્ત્રમાં છ પ્રમાણ કહ્યાં તે ઉપલક્ષણરૂપ છે, (તેથી ઉપલક્ષણથી લોક પ્રમાણરૂપે ઉપલક્ષિત થાય છે.) તેથી લોકનો પાઠ અભિમત જ છે.
અહીં પ્રશ્ન થાય કે, ઉપલક્ષણથી લોકને પ્રમાણ સ્વીકારીએ તોપણ લોકની એકવાક્યતા નથી, પરંતુ વિજ્ઞાન-વિપરીત કથન છે. તેથી લોક જ પ્રમાણ છે, એમ કહી શકાય નહિ. તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી કહે છે –
વિનિમત્ર ....... રૂચ | વિગા=વિપરીત કથા, પણ અહીં વેદવચનના અપ્રામાયમાં, થોડા જ લોકોને છે, એ પ્રમાણે આશંકા કરીને ગ્રંથકારશ્રી કહે છે –
આ કલ્પનામાં પણ પ્રમાણ નથી; કેમ કે સર્વ લોકોનું અદર્શન છે અર્થાત્ સર્વ લોકોના અદર્શનના કારણે અલ્પબદુત્વના નિશ્ચયનો અભાવ છે, (એથી એમ ન કહી શકાય કે, વિગાન પણ થોડા જ લોકોને છે) એ પ્રકારે અર્થ જાણવો. ૧૨૬ાા ભાવાર્થ :
પૂર્વપક્ષી કહે છે કે, છ પ્રમાણો જેમ કહ્યાં છે, તેમ ઉપલક્ષણથી લોકની પણ પ્રમાણ તરીકે ગણના કરવી જોઈએ, અને આથી જ લોકોમાં બહુલતાએ વ્યાપકરૂપે સ્વીકારેલી વાત હોય છે, તે પ્રમાણભૂત મનાય છે. માટે “લોક પ્રમાણ નથી” તેમ કહી શકાય નહિ, અને લોકો વેદને પ્રમાણરૂપે માને છે.
વળી, વેદવચનમાં વિજ્ઞાન વિપરીત કથન, સંભળાય છે, તેનું પણ સમાધાન પૂર્વપક્ષી કરે છે કે, વેદનું