SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ પ્રતિમાશતક ભાગ-૩/ સ્તવપરિક્ષા | ગાથા-૧૦૬ हीनभावत्वेनाननुमोद्यत्वेऽतिप्रसङ्गात्, अवदाम चोपदेशरहस्ये 'जइ हीणं दव्वत्थयं, अणुमणेज्जा ण संजउ त्ति मई । ता कस्स वि सुहजोगं तित्थयरो नाणुमणिज्ज त्ति ।।' न तको भावलेशो विनेतरेण द्रव्येनेत्यर्थः, सोऽपि द्रव्यस्तवोऽप्येवमेवानुमत एव ।।१०६।। ટીકાર્ય : જd... તલાવિયત્વત, જે જ ભાવલેશ છે તે જ ભગવાનને બહુમત છે; કેમ કે અપુનબંધકાદિથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધીના ભાવનું તાજ્ઞાનું=ભગવાનની આજ્ઞાનું, વિષયપણું છે. અહીં પ્રશ્ન થાય કે, ભાવલેશ એ દ્રવ્યસ્તવમાં વર્તતો પરિણામ છે અને તે પુષ્પાદિ જીવોની વિરાધનાથી સંવલિત ક્રિયારૂપ ચેષ્ટા સાથે વર્તનાર છે, માટે ત્યાં ભગવાનની અનુમતિ હોઈ શકે નહિ. તેના સમાધાન માટે કહે છે – તત્ર તદ્દનુમતિત્વ, ત્યાં=ભાવલેશમાં, ઈષ્ટસાધનતાના વ્યંજક વ્યાપારનું તદનુમતિવિષયપણું છે અર્થાત્ ભાવલશવાળાનું ઈષ્ટ મોક્ષ છે અને મોક્ષનું સાધન સંયમ છે, તેથી સંયમમાં ઈષ્ટસાધતતા છે અને તેનો વ્યંજક વ્યાપાર પ્રસ્તુત ભાવલેશમાં છે. તેનું જ ભગવાનનું અનુમતિવિષયપણું છે, અર્થાત્ ભગવાનકર્તક અનુમતિવિષયપણું છે. છે “તલનુમતિવા' પાઠ છે ત્યાં તલનુમતવિષયવી' પાઠની સંભાવના છે અને તે મુજબ અર્થ કરેલ છે, અથવા તનુમતવાત્' પાઠ હોવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવવર્તી જે ભાવલેશ છે, તેમાં હિનભાવપણું હોવાને કારણે તે અનનુમોદ્ય છે=અનુમોઘ નથી, તેથી કહે છે – ટીનમાવવૅન .... અતિપ્રસાત્ I હીતભાવપણા વડે અનjમોરપણું હોતે છતે અતિપ્રસંગ છે. તે અતિપ્રસંગ ગ્રંથકારશ્રીએ સ્વયં ઉપદેશરહસ્યમાં બતાવેલ છે. તે કહે છે – ન હીf ... નાજુમાન્ન ત્તિ || જો સ્વયોગની અપેક્ષાએ તુચ્છ છે માટે સાધુ દ્રવ્યસ્તવની અનુમોદના ન કરે, એ પ્રમાણે તારી મતિ છે, તો કોઈના પણ શુભયોગની તીર્થંકર અનુમોદના નહિ કરે. પૂર્વે સિદ્ધ કર્યું કે, દ્રવ્યસ્તવમાં વર્તતો જે ભાવલેશ છે, તે જ ભગવાનને અનુમત છે. હવે ભાવલેશ અનુમત હોવાને કારણે દ્રવ્યસ્તવ કઈ રીતે અનુમત બને છે, તે બતાવે છે – તો ........ અનુમતિ ા તો તે=ભાવલેશ, ઈતર વિના દ્રવ્ય વિના નથી, અને તે પાગ-દ્રવ્યસ્તવ પણ, આ પ્રકારે જ=જે રીતે ઈષ્ટસાધનતા વ્યંજક વ્યાપાર ભાવલેશમાં છે, તેથી ભાવલેશ અનુમત છે, એ રીતે જ, ઈષ્ટસાધનતા વ્યંજક વ્યાપાર દ્રવ્યસ્તવમાં પણ છે. તેથી ભાવલેશની જેમ જ, તે પણ=દ્રવ્યસ્તવ પણ, અનુમત જ છે. II૧૦૬.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy