SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૬-૭-૯૮ હવે મૂળગાથા-૫૦માં દ્રવ્યસ્તવથી ભાવસ્તવ કેવી રીતે પ્રાપ્ત થાય, તે બતાવ્યું, એ કથન સાથે જોડાણ બતાવે છે – આ રીતે=ગાથા-૫૦માં કહ્યું એ રીતે, ખરેખર મારા કરાયેલા દ્રવ્યસ્તવથી અન્ય જીવો પ્રતિબોધ પામશે, એ પ્રકારના દ્રવ્યસ્તવકાલીન ભાવથી અજિત એવા પુણ્યાનુબંધી પુણ્યકર્મના યોગથી ઉક્ત સ્વરૂપવાળું ગાથા-પ૧ આદિમાં કહેવાયેલા સ્વરૂપવાળું, ભાવચરણ=ભાવચારિત્ર, હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૯૬ો. ભાવાર્થ વિવેકસંપન્ન શ્રાવક જ્યારે શાસ્ત્રમાં ધેલી વિધિ પ્રમાણે જિનભવન કરાવે છે, ત્યારે તેને ભાવચારિત્ર પ્રત્યે અત્યંત રાગ હોય છે, અને તેથી જ તે શ્રાવક ઇચ્છે છે કે, “આ જિનમંદિરનું નિર્માણ થવાથી તેના દર્શન માટે ઉત્તમ મહાત્માઓ પધારશે અને તેઓ દેશના વગેરે આપશે. તેનાથી આ દેશમાં રહેલા અન્ય જીવો પ્રતિબોધ પામશે અને સંયમ આદિ ગ્રહણ કરીને પોતાના મનુષ્યજન્મને સફળ કરશે અને ઘણા જીવોને સંયમની પ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારના આ જિનમંદિરનિર્માણમાં વપરાયેલું જ મારું ધન સફળ છે, અન્ય નહિ.” આ પ્રકારની વિચારણાથી પ્લાવિત થયેલું ભીનું બનેલું ચિત્ત, અતિ ઉત્તમ કોટિના સંયમ પ્રત્યેના રાગના ભાવવાળું બને છે, અને તેનાથી ઉપાર્જિત થયેલ પુણ્યાનુબંધી પુણ્યકર્મ અર્થાતું ચારિત્ર પ્રત્યેના રાગના સંસ્કારોથી યુક્ત એવું પુણ્યકર્મ, તેના યોગથી ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે, ક્વચિત્ તે જ ભવમાં તેને ઉત્તમ ભાવથી ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે અને ક્વચિત્ જન્માંતરમાં પણ ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે. ll૯૬ાા ગાથા - "अपडिवडियसुहचिंताभावज्जियकम्मपरिणईओ । પત્ર ના ગંત તો સ ગારહિvi નદg” al૨૭ના ગાથાર્થ :- જિનાયતનવિષયક અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મપરિણતિથી, આના ચાત્રિના, પારને પામે છે, (અને) તેનાથી તે=જિનમંદિર નિર્માણ કરનાર ગૃહસ્થ, આરાધનાને પામે છે. ll૯૭ના ટીકા - अप्रतिपतितशुभचिन्ताभावार्जितकर्मपरिणतेस्तु सकाशाजिनायतनविषयाया एतस्य चरणચ, યતિ સર્જા=પાર, તતઃ સ મારાથનાં તમને શુદ્ધાન્ પાછા ટીકાર્ય : ગતિતિ શુદ્ધાન્ | જિતાયતનવિષયક અપ્રતિપતિત શુભચિંતાના ભાવથી અજિત પેદા
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy