SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩) આવપરિણા/ ગાથા-પર ૧૯૭ ગાથાર્થ : અને આ આવા પ્રકારે આજ્ઞાકરણ=આજ્ઞાનું પાલન, ભાવસાધુને છોડીને અન્ય ક્ષદ્ધ સત્ત્વો=ક્ષક જીવો, કરવા માટે સમર્થ નથી; કેમકે સમ્યગૃતદગુણના જ્ઞાનનો=આ પ્રકારના આજ્ઞાકરણના ગુણના જ્ઞાનનો, અભાવ છે અને કર્મનો દોષ છે=ચારિત્રમોહનીય કર્મનો અપરાધ છે. IFપચા ટીકા - ___'एतच्चैवमाज्ञाकरणं भावसाधुं विहाय त्यक्त्वा, नान्यः क्षुद्रः शक्नोति कर्तुं, सम्यक् तद्गुणज्ञानाभावात् इत्थमाज्ञाकरणगुणज्ञानाभावात्, करणस्यापि रत्नपरीक्षान्यायेन बुद्ध्युपायत्वात् कर्मदोषाच्च चारित्रमोहनीयकर्मापराधाच्च ।।२।। ટીકાર્ચ - તવ્ય .... માવા, અને આ આવા પ્રકારનું આજ્ઞાનું કરણ=નિરપેક્ષ થવાની આજ્ઞાનું પાલન, ભાવસાધુને છોડીને અન્ય સદ્ધ જીવો કરવા માટે સમર્થ નથી; કેમ કે સમ્યફ તદણના જ્ઞાનનો અભાવ છે=આવા પ્રકારના આજ્ઞાકરણના ગુણના જ્ઞાનનો અભાવ છેઃનિરપેક્ષ થવાના આજ્ઞાકરણના ગુણના જ્ઞાનનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે, ભાવસાધુને છોડીને સંવિગ્નપાક્ષિક, દેશવિરતિ શ્રાવક કે સમ્યગ્દષ્ટિ આદિને નિરપેક્ષ આજ્ઞાકરણ પ્રત્યે જ તીવ્ર રુચિ છે. આમ છતાં, સત્ત્વની અલ્પતાને કારણે તેઓ નિરપેક્ષ થવાની આજ્ઞાનું પાલન કરી શકતા નથી. પરંતુ તેમને આવા પ્રકારના આજ્ઞાકરણના ગુણના જ્ઞાનનો અભાવ છે, એમ કઈ રીતે કહી શકાય ? તેથી નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને કહે છે – રસ્થાપિ પુથુપાયવા, રત્નપરીક્ષાના વ્યાયથી કરણનું પણ કૃત્યના કરણનું પણ, બુદ્ધિનું ઉપાયપણું છે કૃત્યવિષયક બુદ્ધિના વિશદ બોધનું ઉપાયપણું છે. રસ્યા - અહીં ‘'થી એ સમુચ્ચય કરવો છે કે, બોધનું જેમ બુદ્ધિનું ઉપાયપણું છે, તેમ કરણનું પણ બુદ્ધિનું ઉપાયપણું છે. કરણનું પણ રત્નપરીક્ષા ન્યાયથી બુદ્ધિનું ઉપાયપણું છે, એમ કહીને સમ્યગ્દષ્ટિ આદિને પણ નિરપેક્ષભાવમાં યત્ન નહિ હોવાથી તેમને સૂક્ષ્મબોધ નથી એમ કહ્યું, એ કથન નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને કહેલ. હવે વ્યવહારનયથી સમ્યગ્દષ્ટિ આદિને નિરપેક્ષ આજ્ઞાનો બોધ છે, છતાં તેમાં યત્ન કેમ કરતા નથી, તે બતાવે છે – વર્નલોષાર્થ પરથી સમ્યફ તદ્ગણના જ્ઞાનનો અભાવ ન હોય તોપણ અલ્ય શુદ્ધ સત્વો આ પ્રકારનું આજ્ઞાકરણ કરી શકતા નથી; કેમ કે કર્મનો દોષ છે=ચારિત્રમોહનીય કર્મનો અપરાધ છે. એ પ્રમાણે સંબંધ છે. પરા
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy