SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા | ગાથા-૪૭-૪૮ ૧૯૧ પૂર્વમાં તેને ભોગો પ્રત્યે જે અભિષ્યંગ=રાગ છે, તે દ્રવ્યસ્તવ કરતાં કરતાં ઘટતો જાય છે, અને દેવભવમાં જઈને પણ ભગવદ્ભક્તિ, ભગવાનની દેશનાનું શ્રવણ ઇત્યાદિ ઉત્તમ કૃત્યો દ્વારા ભોગનો અભિષ્યંગ ઘટે છે. આથી જ આવો જીવ જ્યારે મનુષ્યભવ પામે છે, ત્યારે દ્રવ્યસ્તવ દ્વારા કરાયેલો જે અભ્યાસ તેના બળથી સંયમને પામે છે, તે ભાવસ્તવની પ્રાપ્તિરૂપ છે. I૪૭ના અવતરણિકા - विशेषत इदमेवाह - અવતરણિકાર્ય : વિશેષથી આને જ=પૂર્વે ગાથા-૪૭માં કહ્યું કે, દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધીપુણ્યબંધ અને તેનાથી સુગતિ વગેરેની પ્રાપ્તિ અને પરંપરાએ ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે, એને જ, કહે છે – * પ્રસ્તુત ગાથા-૪૮ની અવતરણિકાનો સંબંધ ગાથા-૫૦ સુધી છે. ગાથા: “जिणबिंबपइट्ठावणभावज्जिअकम्मपरिणइवसेणं । सुग्गइपइट्ठावणमणघं सइ अप्पणो जम्हा " ।। ४८ ।। ગાથાર્થ ઃ જે કારણથી જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત=પેદા થયેલ કર્મપરિણતિના વશથી, સદા=હંમેશાં અનઘ=નિર્દોષ, એવું સુગતિમાં પ્રતિષ્ઠાપન થાય છે. II૪૮૫ ટીકા ઃ जिनबिम्बप्रतिष्ठापन भावार्जितकर्मपरिणतिवशेन स्वेतरसकलकारणमेलनसामर्थ्येन सुगतौ प्रतिष्ठापनमनघं सदात्मनो यस्मात्कारणात् ।।४८।। ટીકાર્યઃ जिनबिम्ब યમાારણાત્ ।। જે કારણથી સ્વેતર=જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત કર્મથી ઈતર, સકલ કારણોના મેલનના સામર્થ્યવાળી એવી, જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત થયેલી કર્મપરિણતિના વશથી, સદા આત્માનું અનઘનિર્દોષ એવું સુગતિમાં પ્રતિષ્ઠાપન થાય છે. ।।૪૮ * અહીં મૂળ ગાથા-૪૮માં ‘નમ્ના’ અને ટીકામાં ‘વસ્માત્ ારાત્' કહ્યું, તેનો સંબંધ પૂર્વે ગાથા-૪૭માં જે કથન કહ્યું, તેની સાથે છે. તે આ રીતે જે કારણથી સદા આત્માનું અનઘ સુગતિમાં પ્રતિષ્ઠાપન થાય છે, અને આગળની ગાથા-૪૯-૫૦માં
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy