SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૭ જિનપ્રતિમાદિના દર્શનાદિ કારણ છે. આ રીતે વિશેષરૂપે કાર્ય-કારણભાવ સ્વીકારવો ઉચિત છે. તે આ રીતે - ૧૦૬ જેમ તૃણ-અરણિ-મણિઅનુગત કારણતા-નિરૂપિત-કાર્યતા અગ્નિમાં છે, તેથી તૃણ-અરણિ-મણિ અનુગત કોઈક કારણતાવચ્છેદક એક ધર્મ છે, તેમ તીર્થંકર, ગણધર, સાધુ, જિનપ્રતિમાદિ અનેક કારણો અનુગત કોઈ કારણતાવચ્છેદક એક ધર્મ છે. આ રીતે સ્વીકારીએ તો જેમ અગ્નિ પ્રત્યે તૃણ-અરણિ-મણિ અન્યતરત્વેન કારણતા છે, તેમ પ્રસ્તુતમાં પણ સમ્યક્ત્વરૂપ કાર્ય પ્રત્યે તીર્થંકરાદિ અન્યતરત્વેન કારણતા છે. તેથી સમ્યક્ત્વરૂપ કાર્ય પ્રત્યે ભવ્યત્વનો પરિપાક એ સાક્ષાત્ કારણ છે, અને તે ભવ્યત્વના પરિપાકનાં કારણો તીર્થંકરાદિ અન્યતર કોઈ છે. જેના ભવ્યત્વનો પરિપાક જિનપ્રતિમાના દર્શનથી થાય છે, તેના સમ્યક્ત્વ પ્રત્યે જિનપ્રતિમાના દર્શનજન્ય ભવ્યત્વના પરિપાક દ્વારા જિનપ્રતિમા જ કારણ છે. આ રીતે સમ્યક્ત્વન તીર્થંકરાદિ અન્યતરત્વેન સામાન્ય કાર્ય-કારણભાવ છે, તેમ તે જીવના સમ્યક્ત્વ પ્રત્યે તે જીવને પ્રાપ્ત થયેલ જિનપ્રતિમા જ કારણ છે, એમ વિશેષ કાર્ય-કારણભાવ પણ છે. પૂર્વમાં સિદ્ધ કર્યું કે, સ્વજન્યભવ્યત્વના પરિપાક દ્વારા વ્યભિચારનો અભાવ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જિનપ્રતિમાનાં દર્શનાદિ કારણોમાંથી જિનપ્રતિમાના દર્શનરૂપ જે કોઈ એક કારણથી જેનું ભવ્યત્વ પરિપાક થાય, તેના ભવ્યત્વના પરિપાક પ્રત્યે તે જિનપ્રતિમાનું દર્શન કારણ છે, અન્ય તીર્થંકર વગેરે નહિ. તેને જ સ્પષ્ટ કરતાં કહે છે – ટીકાર્થ ઃ अन्वय ફળતે । અને આ અન્વય-વ્યતિરેકસિદ્ધ અર્થ છે=જેને જિનપ્રતિમાથી સમ્યક્ત્વ થાય તેવું ભવ્યત્વ છે તેને તેનાથી જ થાય અન્યથી નહિ અર્થાત્ આ કારણથી જન્ય કાર્ય પ્રત્યે આ જ કારણ હેતુ છે અન્ય કારણ નહિ, એ પ્રકારનો આ અન્વય-વ્યતિરેકસિદ્ધ અર્થ છે. એથી કરીને જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત એવી પ્રતિમાનું ભાવગ્રામત્વ ઇચ્છાય છે. ***** * પ્રતિમાશતક મુદ્રિત પુસ્તકમાં અને હ. પ્રતમાં ‘વ્હાર્યે વાળોપવારેળ’ પાઠ છે, ત્યાં આ પાઠ સંગત જણાય છે. અને અહીં જ આગળ ટીકામાં ‘તવ્રુત્ત તન્નેવ'થી કલ્પભાષ્ય ગાથા-૧૧૧૬ની સાક્ષી આપી, તે મૂળ ગાથામાં પણ ‘જારને ખડવયારો’ કહેલ છે અને તે ગાથાની વ્યાખ્યામાં પણ ‘વારને વાર્યોપચાર કૃતિ ત્ચા' કહેલ છે. એનાથી પણ નક્કી થાય છે કે, “વારને ાર્યોપચારે' એ પાઠ સંગત છે અને તે મુજબ અર્થ કરેલ છે. જેનું ભવ્યત્વ જિનપ્રતિમાના દર્શનથી પરિપાક પામે તેમ છે, તેના સમ્યગ્દર્શન પ્રત્યે જિનપ્રતિમા જ કારણ છે, એ અન્વય-વ્યતિરેકસિદ્ધ પદાર્થ છે. તેથી જે લોકોને જિનપ્રતિમાથી જ સમ્યગ્દર્શન થવાનું છે, તેમની અપેક્ષાએ જ સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત જિનપ્રતિમાને ભાવગ્રામરૂપે કહેલ છે; કેમ કે સમ્યગ્દષ્ટિથી પરિગૃહીત જિનપ્રતિમા જ યોગ્ય જીવોને સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી સમ્યગ્દર્શનના કારણરૂપ એવી જિનપ્રતિમામાં કાર્યનો ઉપચાર કરીને જિનપ્રતિમાને ભાવગ્રામ કહેલ છે–સમ્યગ્દર્શનરૂપ ભાવગ્રામ કહેલ છે.
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy