SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭ દેવોની પણ હોઈ શકે. તેથી સિદ્ધાર્થ રાજાએ જિનની જ દેવપૂજા કરેલ છે, તે બતાવવા માટે તેઓ શ્રાવક હતા, તે આચારાંગના પાઠથી બતાવે છે – ટીકા - તશ શ્રમો સત્વે ગાજર નાપાર્થ (જિ. સુ. પૂ. રૂ સૂ. ૭૮) - “સમr vi પવનો महावीरस्स अम्मापिउरो पासावचिज्जा समणोवासगा आवि होत्या, ते णं बहुइं वासाइं समणोवासगपरियागं पालयित्ता छण्णं जीवनिकायाणं सारक्खणनिमित्तं आलोइत्ता, णिदित्ता, गरिहित्ता, पडिक्कमित्ता, अहारिहं उत्तरगुणं पायच्छित्तं पडिवज्जित्ता कुससंथारं दुरूहित्ता भत्तं पच्चक्खायंति, २ अपच्छिमाए मारणंतियाए सरीरसंलेहणाए झुसीयसरीरा कालमासे णं कालं किच्चा, तं तं सरीरं विपज्जहित्ता अच्चुए कप्पे देवत्ताए उववन्ना तओ णं आउक्खएणं भवक्खएणं ठिइक्खएण चुते (ता) चइत्ता महाविदेहे वासे चरिमेणं ऊसासेणं सिज्झिस्संति (जाव) परिणिव्वाइस्संति, सव्वदुक्खाणमंतं करिस्संति ।।' त्ति । ટીકાર્ય : તા. ૩ - અને તેના=સિદ્ધાર્થ રાજાના શ્રમણોપાસકપણામાં આચારાંગસૂત્રનો આલાપક આ છે – “સમર્સ ... રિસ્સતિ” | ત્તિ | શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા શ્રી પાર્શ્વનાથ ભગવાનના અપત્યયઃસંતાનીય શ્રાવકો હતા. તે બંને ઘણાં વર્ષો સુધી શ્રાવકપર્યાયને પાળીને, છજીવનિકાયના સંરક્ષણ નિમિત્તે (પાપોની) આલોચના કરીને, નિંદા કરીને, ગહ કરીને, પ્રતિક્રમણ કરીને તથા યથાયોગ્ય ઉત્તરગુણ પ્રાયશ્ચિત્તને સ્વીકારીને, કુશના સંથારા ઉપર બેસીને ભક્તપ્રત્યાખ્યાન અનશન કરે છે. અને કરીને છેલ્લી મારણાંતિક શરીરસંલેખના વડે શોષવી નાંખેલ શરીરવાળા, કાળમાસમાં=કાળ કરવાના સમયે કાળ કરીને તે તે શરીરને છોડીને અશ્રુતકલ્પમાં દેવપણામાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્યનો ક્ષય થવાથી (અને) દેવભવની સ્થિતિનો ક્ષય થવાથી ચુત થયે છતે (અ) ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં ચરમ ઉવાસ વડે સિદ્ધ થશે, યાવત્ પરિનિર્વાણને પામશે, સર્વદુઃખોનો અંત કરશે. “રિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. અહરિદં ૩ત્તર પછિત્ત ડિગ્નતા - એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય છે કે, શ્રાવક સંબંધી મૂળગુણરૂપ પાંચ અણુવ્રતોમાં અલના થઈ નથી, પણ વ્રતાદિ સંબંધી ક્રિયામાં-અનુષ્ઠાનમાં અલના થઈ હોય તે ઉત્તરગુણ સંબંધી પ્રાયશ્ચિત્તને સ્વીકારીને ભગવાનનાં માતાપિતા ભક્તપ્રત્યાખ્યાન અણસણ કરે છે. અવતરણિકામાં કહેલ કે, અતિદેશ શેષને કહે છે, તે કથન સિદ્ધાર્થ રાજાની પૂજામાં દ્રૌપદીના ચરિત્રના સમર્થનથી બતાવ્યું. હવે તે જ અતિદેશ અન્ય પણ શાસ્ત્રોના કથનરૂપે છે તે બતાવે છે – यथा च सिद्धार्थराजव्यतिकरे यागशब्देन 'पूजा कृतेति समर्थितम्, तथा महाबलादिव्यतिकरेऽपि दृश्यम्, अपि च शाश्वताशाश्वततीर्थान्याचार्यादींश्च प्रत्यभिगमन-संपूजनादिना सम्यक्त्वनैर्मल्यं स्यादित्युक्तमाचारनिर्युक्तौ ।
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy