SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦. થાય છે, એમાં ‘પરિણામય પમા બિચ્છયમવર્તવમા' ઈત્યાદિ આગમવચનની સાક્ષી આપી, અને એ જ સાક્ષીને અનુસરીને આવશ્યકમાં પણ આ સૂત્ર પ્રવર્તે છે, એમ કહ્યું. ત્યાર પછી તે સૂત્ર ‘કાયા વેવ હિંસા માયા હિંપત્તિ છિયમો ઘણો' એ બતાવ્યું. ત્યારપછી “મૃષાવાતાવી.થી.. મવતીતિ’ ત્યાં મલયગિરિ મહારાજાનું કથન પૂરું થાય છે. હવે અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ પૂર્વે પૂજ્ય મલયગિરિ મહારાજે કહ્યું, તેનું તાત્પર્ય પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પ્રતિપાત ધ્યવસાયે ..થી... તદુપીર સુધીના કથનથી બતાવતાં કહે છે - અથવા (૨) પૂર્વે પૂ. મલયગિરિ મહારાજાના કથનમાં કહ્યું કે, પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતની ક્રિયા થાય છે, અને ત્યાં અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ કહીને પ્રાણાતિપાતના અધ્યવસાયકાળમાં પ્રાણાતિપાતક્રિયા થયેલ છે એમ કહ્યું. પરંતુ વસ્તુતઃ પ્રાણાતિપાતનો અધ્યવસાય પેદા થાય છે, તેનાથી બાહ્ય આચરણારૂપ પ્રાણાતિપાતની ક્રિયા કરવામાં આવે છે, અને તે ક્રિયા અંતર્મુહૂર્તની છે, અને ચરમસમયમાં જ તે પ્રાણાતિપાતના અધ્યવસાયથી કાર્ય નિષ્પન્ન થાય છે. તો પણ પ્રથમ સમયમાં જ પ્રાણાતિપાતક્રિયા થયેલ છે, એમ પૂર્વે કહ્યું, ત્યાં પ્રાણાતિપાતનો ઉપચાર કરીને કહેવામાં આવે છે; તે કઈ રીતે છે, તે બતાવવા અર્થે કહે છે - ટીકા - प्राणातिपाताध्यवसाये प्राणातिपातनिर्वर्तककार्येषु जायमानेषु प्राणातिपातोपचारो मृषावादाद्यध्यवसाये च यथोचितक्रियानिर्वर्तककार्येषु जायमानेषु तदुपचार इत्यत्र बीजम्-'उत्पद्यमानम् उत्पन्नम्' इत्यस्यार्थस्यादित एवोपपादितस्येत्थमेवोपचारेण संभवात्, परमार्थतस्तु चरमसमय एवोत्पद्यमानं तदैव चोत्पन्नमित्यस्यार्थस्य महता प्रबन्धेन महाभाष्ये व्यवस्थापितत्वात् । ટીકાર્ચ - પ્રાતિપાત . વ્યવસ્થાપતત્વાર્ પ્રાણાતિપાતનો અધ્યવસાય હોતે છતે પાયમાન ઉત્પન્ન થતા એવા, પ્રાણાતિપાતથી લિવર્તક કાર્યમાં, પ્રાણાતિપાતનો ઉપચાર; અને મૃષાવાદાદિ અધ્યવસાય હોતે છતે જાયમાનઃઉત્પન્ન થતા એવા, યથોચિત ક્રિયાતિવર્તક કાર્યમાં તેનો ઉપચાર મૃષાવાદાદિનો ઉપચાર; એ અહીંયાં=પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે, એમ પૂર્વે કહ્યું એમાં, બીજ છે. કેમ કે “ઉત્પમાન ઉત્પન્ન એ પ્રકારે આદિથી જ ઉપપાદિત એવા આ અર્થનું આ રીતે જ ઉપચાર વડે સંભવ છે. પરમાર્થથી તો વળી ચરમ સમયમાં જ ઉત્પધમાન એવું તે કાર્ય ત્યારે ચરમ સમયમાં જ ઉત્પન્ન થાય છે; એ અર્થનું મોટા વિસ્તારથી મહાભાષ્યમાં વ્યવસ્થાપિતપણું છે. ‘રૂત્ર વીન' અહીં ‘તિ’ શબ્દ ‘પત’ અર્થક છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy