SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક / શ્લોકઃ ૩૦. ૩૫ બાધ દેખાય છે, તે જ કાળમાં ઈચ્છાથી આરોપ કરવામાં આવે છે કે, આ ભગવાન સર્વજ્ઞ-વીતરાગ છે, તે આહાર્ય આરોપ છે. નાદ્રિતીયી ... ૩મસિઃ - આ ચાર વિકલ્પોમાં પ્રથમ અને દ્વિતીય વિકલ્પ બરાબર નથી. કેમ કે ગૃહસ્થની સાથે તુલ્ય યોગક્ષેમપણું હોવાથી અર્થાત્ સમાપણું હોવાથી, ઉભયને અસિદ્ધિ છેગૃહસ્થ અને સાધુ ઉભયને દ્રવ્યસ્તવની અસિદ્ધિ પ્રાપ્ત થશે. - ર નૃતીય ... નવરાત્િ ત્રીજો વિકલ્પ બરોબર નથી, કેમ કે ગૃહસ્થ વડે પણ યાગાદિના નિષેધ માટે ધર્માર્થે હિંસા ન કરવી જોઈએ, એ પ્રમાણે પ્રતિજ્ઞાકરણ હોવાથી=પ્રતિજ્ઞા કરેલ હોવાથી, તત્ વિરુદ્ધપણાના જ્ઞાનમાં અર્થાત્ પોતાની પ્રતિજ્ઞા ઉચિત એવી અહિંસાના વિરુદ્ધપણાનું જ્ઞાન દ્રવ્યસ્તવમાં થવાને કારણે, સ્કુરિત થયેલા અવયથી દ્રવ્યસ્તવના અકરણનો પ્રસંગ પ્રાપ્ત થશે. ઉત્થાન : ગૃહસ્થને દ્રવ્યસ્તવથી અધ્યાત્મની પ્રાપ્તિ હોવાને કારણે દ્રવ્યસ્તવમાં થતી હિંસા એ વસ્તુતઃ અહિંસારૂપ જ છે, તેથી ધર્માર્થે હિંસા ન કરવી જોઈએ, એ પ્રતિજ્ઞાનો દ્રવ્યસ્તવમાં વિરોધ નથી. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે - ટીકાર્ય : ધ્યાત્મિનિયન ..... તૌચાત્ | અધ્યાત્મના આયત દ્વારા દ્રવ્યસ્તવીય હિંસાનું અહિંસાકરણ હોવાથી અવિરોધનું ઉભયમાં=સાધુ અને ગૃહસ્થ ઉભયમાં, તુલ્યપણું છે. (એથી કરીને ત્રીજા વિકલ્પ પ્રમાણે જો ગૃહસ્થને દ્રવ્યસ્તવમાં અવધનું સ્કૂરણ ત થતું હોય તો સાધુને પણ અવધનું સ્કુરણ થવું જોઈએ નહિ.) ન તુર્થઃ ..... પ્રસ, ચોથો વિકલ્પ પણ બરાબર નથી, કેમ કે અવધ આહાર્ય આરોપનું ઈતર વડે પણ=સાધુથી ઈતર એવા ગૃહસ્થ વડે પણ, કરવા માટે શક્યપણું હોવાથી, તેના વડેeગૃહસ્થ વડે, દ્રવ્યસ્તવના ત્યાગનો પણ પ્રસંગ પ્રાપ્ત થશે. રૂતિ ..... પ્રાથરિત્તે . એથી કરીને પૂર્વમાં કહ્યું કે પૂર્વના ચારેય વિકલ્પોથી સાધુને દ્રવ્યસ્તવ વિષયક પ્રવૃત્તિકાળમાં અવધનું સ્કુરણ થાય છે, તે સંગત નથી એથી કરીને, મલિનારંભરૂપ અધિકારી વિશેષણનો અભાવ હોવાથી જ સાધુને દેવપૂજામાં પ્રવૃત્તિ નથી. જે કારણથી મલિનારંભી તેની નિવૃત્તિના ફળવાળી=મલિનારંભની નિવૃત્તિના ફળવાળી, એવી પૂજામાં અધિકારી છે, જેમ તેની નિવૃત્તિના ફળવાળા=દુરિતની નિવૃત્તિના ફળવાળા, એવા પ્રાયશ્ચિત્તમાં દુરિત કરનારો જ અધિકારી છે. ‘દ્રવ્યસ્તવત્યારે અહીં ‘’ થી એ કહેવું છે કે - જ્યારે ગૃહસ્થ અવદ્યનો આહાર્ય આરોપ ન કરે ત્યારે દ્રવ્યસ્તવ કરી શકે, અને જ્યારે આહાર્ય આરોપ કરે ત્યારે સાવદ્ય ફુરણ થવાને કારણે દ્રવ્યસ્તવના ત્યાગનો પણ પ્રસંગ પ્રાપ્ત થાય.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy