SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૭ પ્રતિમાશતક | શ્લોક : ૧૦ શ્વિ= કોઈ પ્રકારે' અર્થાત્ યતનાવિશેષથી પ્રવર્તમાન સર્વથા પણ કાયવધ થતો નથી, એ પ્રમાણે બતાવવા કથંચિતનું ગ્રહણ છે. એ પ્રકારે તપસ્વી વડે પૂ. અભયદેવસૂરિ મહારાજ વડે સ્વયં જ વ્યાખ્યાત કરાયેલ છે. પૂજા પંચાશક ગાથા-૪૨ મારૂં ... હિરનો નો અર્થ આ પ્રમાણે છે – કહેવાય છે - વળી જિનપૂજામાં જોકે કથંચિત કાયવધ છે, તો પણ કૂપદાંતના યોગથી ગૃહસ્થોને તે= પૂજા, પરિશુદ્ધ છે. વિશેષાર્થ : પૂજા પંચાશકમાં કાયવધથી કઈ રીતે પૂજા પરિશુદ્ધ છે ? એ પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં પૂજા પંચાશક ગાથા-૪૨ “મvuş .... વદિરનો IT' છે, તેમાં જે હ્રિવિકથંચિત્ શબ્દ છે, તેનો અર્થ ત્યાં ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજે સ્વયં જ કર્યો છે કે ચંત્રિકોઈ પ્રકારે. અને તેનો ખુલાસો કરતાં કહ્યું કે, યતનાવિશેષથી પ્રવર્તમાનને સર્વથા પણ કાયવધ થતો નથી, એ પ્રદર્શન માટે પૂજા પંચાશક ગાથા-૪૨ માં “કથંચિત્'નું ગ્રહણ કરેલ છે. તેથી એ કથન પ્રમાણે ભગવાનની પૂજામાં યતનાવિશેષથી પ્રવર્તમાનને અલ્પ પણ કાયવધ નથી, એ અર્થ પ્રાપ્ત થાય છે. તેથી પૂ. અભયદેવસૂરિ મહારાજે પંચાશક૪/૧૦ ની ટીકામાં ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણે કહ્યું, તે પંચાશકગ્રંથના કર્તા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાને સ્વરસ સિદ્ધ નથી, તેમ માનવું તે પૂજા પંચાશક ગાથા-૪૨ ની પૂ. અભયદેવસૂરિ મહારાજની ટીકાથી પણ ઉચિત છે. ઉત્થાન : પૂર્વમાં જે કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણે કહ્યું, તે પંચાશક ગ્રંથના કર્તા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાને સ્વરસ સિદ્ધ ક્યાં છે ? અર્થાત્ સ્વરસસિદ્ધ નથી. તેમાં ત્રીજો હેતુ કહે છે – ટીકાર્ય : સેલિમિત્તે ...... ર્શિતત્વતિ, ( જો હેતુ) રેઢવિ .... મોદી એ પ્રકારના (પૂજા પંચાશક ગાથા-૪૫) ગ્રંથ વડે કરીને અગ્રમાં પૂર્વની ૪૨ ગાથા કરતાં આગળની, ગાથા-૪૫ માં ગ્રંથકાર વડે *પૂ. હરિભદ્રસૂરિ મહારાજા વડે જ, જિનપૂજા સંબંધી કાયવધમાં ઉપેત્ય પ્રવૃત્તિનું જાણીને પ્રવૃત્તિનું, દશિતપણું છે. (તેથી પંચાશકના ગ્રંથકારને ધમર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ દોષ સ્વરસ સિદ્ધ નથી, એમ અવાય છે.) હવે કોઈને પ્રશ્ન થાય કે, જિનપૂજા સંબંધિ કાયવધમાં ઉપત્ય પ્રવૃત્તિ કેમ બતાવી ? તેથી તેમાં હેતુ કહે છે –
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy