SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૬૮ પ્રતિમાશતકશ્લોકઃ ૩૪ ભાગી ઈંદ્રાદિ દેવો છે અને બ્રાહ્મણ નથી. આથી બ્રાહ્મણ સ્વાદ પ્રયોગથી બ્રાહ્મણને દેવતા સ્વીકારવાની આપત્તિ આવશે નહિ, તેથી દેવતાના લક્ષણની બ્રાહ્મણમાં આવતી અતિવ્યાપ્તિ દૂર થાય છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, કોઈ પામર જીવ મંત્ર વિના પણ ઈશ્વર માટે ત્યાગ કરે છે, તો પછી ત્યાં ઈશ્વરનું દેવતાપણું અસિદ્ધ થશે. તેથી તૈયાયિક કહે છે - ટીકાર્ય : પામળ ... સવા પામર વડે મંત્ર વિના પણ ઈશ્વર માટે કરાતા ત્યાગમાં ઈશ્વરનું દેવતાપણું મંત્રકરણક=ત્યાગાત્તર=અન્યના ત્યાગને, ગ્રહણ કરીને અસિદ્ધ નથી. વિશેષાર્થ: પામર જીવો અજ્ઞાનને કારણે “સ્વાહાપૂર્વક ઈશ્વરને અર્પણ કરતા નથી, અને પામર સિવાયના જીવો “સ્વાહા પૂર્વક ઈશ્વરને અર્પણ કરે છે, માટે મંત્રકરણક અન્યના ત્યાગને ગ્રહણ કરીને ઈશ્વરનું દેવતાપણું અસિદ્ધ નહિ થાય, એમ તૈયાયિક કહે છે. ઉત્થાન : નિયાયિકના મતે મૃતપત્નીના ઉદ્દેશથી કોઈક જીવ દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરતો હોય, તે યજ્ઞમાં વાસ્તવિક રીતે તે દેવતા અને પોતાની પત્ની બેય ઉદ્દેશ્ય છે, તેથી ત્યાં નૈયાયિકને તે યજ્ઞના દેવતા તરીકે બંને માન્ય છે. આમ છતાં, મંત્રકરણકતવિર્નિષ્ઠફલભાગિતરૂપે પત્નીને જ ઉદ્દેશ્યરૂપે સ્વીકારીને કેવલ પત્નીને જ પ્રસ્તુત યજ્ઞમાં કોઈ દેવતા કહે, અને અન્ય દેવને દેવતા ન કહે, તેથી લક્ષણનો પરિષ્કાર કરતાં નૈયાયિક જે કહે છે, તે વસ્તુ થી માંડીને રૂત્યાહુ સુધીના નૈયાયિકના દેવતાના સ્વીકારના કથનને તત્ વાત્તાપત્નત્રમ્ કહીને આ રીતે તેનું ખંડન કરે છે – ટીકાર્ય : ૩યત્વે ..... સર્જત્વા / દેવતાના લક્ષણમાં જે ઉદ્દેશ્યત્વ છે તે ઉદ્દેશ્યતાવણ્ડકાવચ્છિન્નનું ઉપલક્ષક છે, કેમ કે કેવલ પત્નીના દેવતાપણાના વારણ માટે વિશિષ્ટરૂપે ઉદ્દેશ્યપણું હોર્વેના કારણે વિશિષ્ટતું જ દેવતાપણું છે, એ પ્રમાણે તૈયાયિકો કહે છે તે બાલચેષ્ટામાત્ર છે. કેમ કે યોગીઓને ઉપાસનીય એવા વીતરાગદેવની પ્રસિદ્ધિ હોવાથી તત્રિરૂપિત=વીતરાગતિરુપિત, અહંકારમમકારાત્મક સ્વત્વનું કોઈથી પણ અર્થાત પ્રતિષ્ઠાદિ કોઈ ક્રિયાથી પણ ક્યાંય પણ અર્થાત્ સર્વત્રતઃ આધાનનો અસંભવ છે જ પણ એક-બે સ્થાનમાં પણ આધાતનો અસંભવ છે, અને સરાગી એવા ઈશ્વર દેવતાનું રાગવિડંબિતો વડે સ્વીકાર કરવા માટે યોગ્યપણું છે. ૦‘ત્યાહુ અહીં તિ’ શબ્દ ફેવતાë ..... વિશિષ્ટચેવફેવતાત્વાન્ એ સર્વકથનનો પરામર્શક છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy