SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ ભાવાર્થ : પૂર્વગાથામાં અંતે ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે તીર્થોચ્છેદના અભિપ્રાયવાળા અનંતસંસાર સ્વીકારવામાં આવે તો બલભદ્રના જીવને પણ અનંતસંસારની પ્રાપ્તિ થાય. તેનું સમાધાન કરીને પોતાનો અભિપ્રાય બતાવતાં પૂર્વપક્ષી કહે છે કે બલબદ્રના જીવે કૃષ્ણના કહેવાથી પોતાની હીનતાના પરિવાર માટે નવા માર્ગની સ્થાપના કરી, પરંતુ તે માર્ગ પ્રત્યે પોતાને સ્વરસ નથી તેથી તે નવા માર્ગની સ્થાપના કર્યા પછી તે જ માર્ગ તત્ત્વ છે તેવી રુચિ તેઓને નથી. માટે બલભદ્રના જીવનું ઉસૂત્રભાષણ નિયતઉસૂત્રભાષણ નથી. જેઓ નિયતઉત્સુત્રભાષણ કરે છે તેઓ ભગવાનના વચનનો અપલાપ કરનાર હોવાથી નિનવ છે, તેઓને નિયમથી અનંતસંસારની પ્રાપ્તિ થાય. વળી જેઓ ભગવાનના શાસનમાં રહેલા છે અને ઉત્સત્ર બોલ્યા પછી તેને સ્થિર કરવા પ્રયત્ન કરે છે તેઓ પણ ઉન્માર્ગમાં રહેલા જીવો જેવા જ છે. તેથી તે સર્વને અનંતસંસાર જ થાય. આ પ્રકારે નિયતસૂત્ર સાથે અનંતસંસારની વ્યાપ્તિને સ્વીકારીને અધ્યવસાયને આશ્રયીને અનંતસંસારને નહીં સ્વીકારનાર પૂર્વપક્ષીના મતને બતાવીને તેનું નિરાકરણ કરતાં કહે છે – ગાથા : णियउस्सुत्तणिमित्ता संसाराणतया ण सुत्तुत्ता । अज्झवसायोऽणुगओ भित्रो च्चिय कारणं तीसे ।।६।। છાયા : नियतोत्सूत्रनिमित्ता संसारानन्तता न सूत्रोक्ता । अध्यवसायोऽनुगतो भित्र एव कारणं तस्याः ।।६।। અન્વયાર્થ : fથડસ્કુત્તમત્તા=નિયતોસૂત્ર નિમિત્ત, સંસારબંતા=અનંત સંસારતા, સુજુત્તા =સૂત્રમાં કહેવાઈ નથી. ઝભ્ભવસાયોડyrગો=અધ્યવસાય અનુગત, મિત્રો વિ=ભિન્ન જ તીરે તેનું સંસારની અનંતતાનું, વારVi=કારણ, છે. ગાથાર્થ : નિયતોસૂત્ર નિમિત્ત અનંતસંસારતા સૂત્રમાં કહેવાઈ નથી. અધ્યવસાય અનુગત ભિન્ન જ તેનું સંસારની અનંતતાનું, કારણ છે. ll ll ટીકા - णियउस्सुत्तति । नियतोत्सूत्रं निमित्तं यस्यां सा तथा, संसारानन्तता न सूत्रोक्ता, नियतोत्सूत्रं विनाऽपि मैथुनप्रतिसेवाद्युन्मार्गसमाचरणतद्वन्दनादिनाऽप्यनन्तसंसारार्जनेन व्यभिचारात् । न चोत्सूत्र
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy