SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ એવા યોગમાર્ગને સેવવા માટે અયોગ્ય એવા જીવનું જ, દેવાદિ પૂજન હતું. વળી ચરમાવર્તમાં સમુલ્લસિતયોગયોગ્યભાવવાળા જીવનું-ઉલ્લાસ પામેલી છે યોગની યોગ્યતા જેનામાં એવા જીવનું, દેવાદિ પૂજત છે. એ પ્રમાણે ચરમાવર્તમાં દેવાદિ પૂજનનું અત્યાવર્તના દેવાદિ પૂજનથી અત્યાદેશપણું છે. એ પ્રમાણે યોગબિંદુતા વૃત્તિકારે વિવરણ કરેલું છે. આતા દ્વારા=પૂર્વે યોગબિંદુલા વૃત્તિકારના વચનથી કહ્યું કે ચરમાવર્તમાં અચરમાવર્ત કરતાં અન્યાદશ દેવાદિ પૂજન છે એના દ્વારા, કોઈના વડે જે કહેવાયું તે અપાત છે એમ અવય છે. કોઈના વડે શું કહેવાયું ? તે બતાવે છે – અત્યતીર્થિક અભિમત અકરણનિયમાદિનું જે વળી સુંદરપણાથી કથન છે તે હિંસાદિઆસક્ત મનુષ્યના મનુષ્યપણાની જેમ સ્વરૂપ યોગ્યતાને કારણે વ્યવહારથી માનવું. વળી નિશ્ચયથી મિથ્યાષ્ટિનો અકરણનિયમ અથવા હિંસાદિઆસક્ત મનુષ્યનું મનુષ્યપણું એ બંને પણ સંસારના કારણપણાને કારણે અનર્થનું હેતુપણું હોવાથી અસુંદર જ છે એ પ્રમાણે કોઈના વડે જે કહેવાયું તે અપાસ્ત છે; કેમ કે આવા પ્રકારનું વચન અત્યદર્શનના અકરણનિયમાદિ પરમાર્થથી સુંદર નથી એવા પ્રકારનું વચન, અભિનિવેશ વગર સંભવે નહિ. જે કારણથી મુક્તિઅદ્વેષાદિથી યુક્ત ચરમાવર્તભાવી પૂર્વસેવા પણ નિશ્ચયથી પ્રાચ્ય આવર્તભાવી પૂર્વસેવાથી વિલક્ષણ યોગયોગ્યપણારૂપે અતિશયવાળી આચાર્ય વડે કહેવાઈ છે. વળી, સાક્ષાત્ યોગાંગ એવા અકરણનિયમનું શું કહેવું? મનુષ્યત્વ સદશ અકરણનિયમાદિ નથી; કેમ કે અત્યદર્શનવાળાઓનું પણ સદાચારરૂપ એવા તેનું પાપાકરણનિયમનું, સામાન્ય ધર્મપ્રવિષ્ટપણું છે. અને ભાવલેશથી યુક્ત એવા સામાન્ય ધર્મનું વિશેષ ધર્મની પ્રકૃતિપણું છે=વિશેષ ધર્મનું કારણ પણું છે. અને મનુષ્યપણું આવું નથી=અકરણનિયમ જેવું નથી. વળી, હિંસાદિઆસક્ત મનુષ્યવસ્થાનીય જો મિથ્યાત્વ વિશિષ્ટ અકરણનિયમાદિ હોય તો મેઘકુમારના જીવ હસ્તિ આદિની દયા પણ તેવી થાય હિંસાદિઆસક્ત મનુષ્યવસ્થાનીય થાય, અને ઉત્કટ મિથ્યાત્વવિશિષ્ટ એવા તેના=અકરણનિયમાદિના તથાપણામાં હિંસાદિઆસક્ત મનુષ્યત્વસ્થાનીયપણામાં, ઈષ્ટાપત્તિ છે; કેમ કે અપુનબંધકાદિને ઉત્કટ મિથ્યાત્વનો અભાવ છે અને પૂર્વસેવામાં પણ તેઓનું અપુનબંધકાદિનું જ, અધિકારીપણું છે, તે કહેવાયું છે પૂર્વસેવામાં અપુનબંધકાદિ અધિકારી છે, એમ પૂર્વમાં કહ્યું તે કહેવાયું છે – “કલ્યાણ આશયનો યોગ હોવાને કારણે આને અપુનર્બધકને, યથોદિત એવી આ પૂર્વસેવા=જે પ્રકારે પૂર્વમાં કહેવાઈ છે એવી આ પૂર્વસેવા, મુખ્યરૂપ થાય. શેષને સકૃબંધકાદિને ઉપચારથી થાય.” અને અપુનબંધકાદિનું પણ અનુષ્ઠાન સમ્ય નથી તે પ્રમાણે શંકા કરવી નહિ; કેમ કે “સખ્યમ્ મનુષ્ઠાન વિય.” એ પ્રકારના ઉપદેશપદના સૂત્રની વૃત્તિના વચનથી અપુનબંધકાદિને સમ્યગું અનુષ્ઠાનના નિયમનું પ્રતિપાદન છે, એમ અવય છે.
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy