SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૦ ગાથા - छज्जीवनिकायदयाविवज्जिओ नेव दिक्खिओ न गिही । जइधम्माओ चुक्को, चुक्कई गिहिदाणधम्माओ ।।४३०।। ગાથાર્થ : છ જીવનિકાયની દયાથી રહિત સાધુ દીક્ષિત નથી, ગૃહસ્થ નથી, યતિધર્મથી ચુકાયેલો ગૃહસ્થના દાનધર્મથી ચૂકે છે. l૪૩૦|| ટીકા : षड्जीवनिकायदयाविवर्जितस्तदुपमर्दकारी नैव दीक्षितश्चारित्रविकलत्वाद्, न गृही लिङ्गधारणात्, स चैवं वर्त्तमानो यतिधर्माच्चुक्को भ्रष्ट एव 'चुक्कइत्ति भ्रश्यते गृहिदानधर्माद्, गृहस्थसम्बन्धि कल्पते तत् सम्बन्धि पुनर्न किञ्चित् कल्पते यतः सुसाधूनामिति ॥४३०।। ટીકાર્ય : પદ્ગીનિય.... સુસાધૂનાગરિ II છ જવનિકાયની દયાથી રહિત=તેના અર્થાત્ છ જવનિકાયના ઉપમર્દન કરનાર દીક્ષિત નથી જ; કેમ કે ચારિત્રરહિતપણું છે, ગૃહસ્થ નથી; કેમ કે લિંગ ધારણ કરેલું છે અને આ રીતે વર્તતો તે=સાધુવેષમાં છ જવનિકાયની દયાથી રહિત વર્તતો તે સાધુ યતિધર્મથી ચૂકેલો=ભ્રષ્ટ જ થયેલો, ગૃહસ્થતા દાનધર્મથી ભ્રંશ પામે છે, જે કારણથી સુસાધુઓને ગૃહસ્થ સંબંધી વસ્ત્ર-અન્ન વગેરે કલ્પ છે. વળી તત્સંબંધી=છ જીવનિકાયની દયા વગરના સાધુ સંબંધી કંઈ કલ્પતું નથી, તેથી ગૃહસ્થના દાનધર્મથી ચૂકે છે એમ અવય છે. ૪૩૦ ભાવાર્થ : જે સાધુ પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે જિનવચનનું સ્મરણ કરીને સતત પોતાના આત્માની દયા કરતા નથી, અગુપ્તભાવથી વર્તે છે અને છ આવકાયના પાલન માટે કટકાકીર્ણ ભૂમિમાં ગમનની જેમ સંયમના પ્રયોજનથી સર્વ ચેષ્ટા કરતા નથી, તેઓ છ જવનિકાયના ઉપમર્દનને કરનારા છે, તેઓ સાધુવેષમાં હોવા છતાં દીક્ષિત જ નથી; કેમ કે દીક્ષાનું પ્રયોજન સ્વ-પરના દ્રવ્ય અને ભાવપ્રાણનું રક્ષણ છે, તેને અનુકૂળ યત્ન કરતા નથી. વળી તે સાધુ ગૃહસ્થ પણ નથી; કેમ કે સાધુનું લિંગ ધારણ કરેલ છે. સાધુના લિંગને ધારણ કરીને ત્રણ ગુપ્તિને અનુકૂળ યત્ન કર્યા વગર જે તે પ્રવૃત્તિ કરતા સાધુ યતિધર્મથી ભ્રષ્ટ થયેલા ગૃહસ્થના દાનધર્મથી ભ્રંશ પામે છે. વસ્તુતઃ ગૃહસ્થો સાધુના સંયમની અનુમોદના માટે તેમના સંયમના ઉપાયભૂત આહાર-વસ્ત્રાદિનું દાન કરીને સંયમવૃદ્ધિને અનુકૂળ બળ સંચય કરે છે. તેનાથી તે ગૃહસ્થોને પણ વિપુલ નિર્જરા થાય છે અને જે સાધુવેષમાં છે તેઓ છ જવનિકાયની હિંસા કરીને ગૃહસ્થની જેમ દાનધર્મ દ્વારા પણ હિત સાધી શકતા નથી; કેમ કે ઉભય ભ્રષ્ટ છે, જ્યારે છ જવનિકાયના
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy