________________
ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૨૪, ૪રપ થી ૪૨૮
છતાં પ્રમાદવશ તેવી ક્રિયા કરવા સમર્થ નથી. જેમ મરીચિ સમ્યજ્ઞાનવાળા હતા, કલ્યાણના અર્થી હતા, છતાં આચારથી હીન હોવાને કારણે ચારિત્રના પરિણામને સ્પર્શી શકતા ન હતા. I૪૨૪ અવતરણિકા :
अतो ज्ञानहीने द्वयमपि नास्तीति लक्षयति, परमार्थतः पुनर्ज्ञानादीनां परस्परापेक्षाणामेव कार्यकारित्वमत एव तद्वैकल्येऽकिञ्चित्करतामाहઅવતરણિકાર્ય :
આથી જ્ઞાનહીનમાં બન્ને પણ નથી, એ પ્રમાણે જણાવે છે, પરમાર્થથી વળી પરસ્પર અપેક્ષાવાળા જ જ્ઞાનાદિનું કાર્ય કરવાપણું છે. આથી જ તેના વૈકલ્યમાં=ચારિત્રના અભાવમાં, જ્ઞાનના અકિંચિત્કરપણાને કહે છે – ગાથા -
नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहूणं ।
संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ।।४२५।। ગાથાર્થ :
ચારિત્ર રહિતનું જ્ઞાન, દર્શન રહિત લિંગનું ગ્રહણ અને સંયમ રહિત તપને જે સાધુ સેવે છે, તેનું નિરર્થક છે. Il૪૨પા ટીકા :___ज्ञानं चारित्रहीनं निरर्थकमिति सम्बन्धः, लिङ्गग्रहणं च रजोहरणादिधारणं, दर्शनविहीनं सम्यक्त्वशून्यं, संयमहीनं च तपो यश्चरति निरर्थकं मोक्षापेक्षया निष्प्रयोजनं तस्येति ।।४२५।। ટીકાર્ચ -
જ્ઞાન ... તતિ | ચારિત્ર રહિતનું જ્ઞાન નિરર્થક છે, દર્શન વિહીન=સમ્યક્તશૂન્ય એવા લિંગ ગ્રહણને=રજોહરણ વગેરેના પારણને અને સંયમ રહિત તપને જે સેવે છે, તેનું નિરર્થક છે=મોક્ષની અપેક્ષાએ નિષ્ઠયોજન છે અર્થાત મોક્ષનું કારણ નથી. II૪રપા અવતરણિકા :
तत्र ज्ञानं चारित्रहीनं कथं निरर्थकमित्यत्र दृष्टान्तमाहઅવતરણિકાર્ય :
ત્યાં ચારિત્રહીન જ્ઞાન કેવી રીતે નિરર્થક છે ? એ પ્રકારની શંકામાં દષ્ટાંતને કહે છે –