SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૦૪, ૪૦૫ થી ૪૦૮ ૩૫ વખતે પણ સંયમને અભિમુખ સંવરભાવવાળું ચિત્ત હોય છે. જેથી ઇન્દ્રિયને અનુકૂળ ભાવો પ્રત્યે રાગ કે પ્રતિકૂળ ભાવો પ્રત્યે દ્વેષ થતો નથી, છતાં તેવા દૃઢ ઉપયોગના અભાવને કારણે અનુકૂળમાં અલ્પ રાગ થાય અને પ્રતિકૂળમાં અલ્પ દ્વેષ થાય તો દર્પ પ્રતિસેવના છે. તેથી જાણીને વિપરીત આચરણારૂપ આકુટ્ટી કરતાં દર્પનો ભેદ પડે છે. કંદર્પાદિ પ્રમાદ છે=પડિલેહણ વગેરે ક્રિયા કરતી વખતે વિધિમાં ઉપયોગ રાખ્યા વગર જેમ તેમ કરે તે કાંદર્ષિક ક્રિયા છે, તે પ્રમાદ છે, તેથી સંયમના પરિણામની વૃદ્ધિને અનુરૂપ ઉપયોગપૂર્વક જે ક્રિયા ન કરાય તે પ્રમાદ સ્વરૂપ છે અને ઉત્સર્ગથી સંયમનું કારણ સંભવે નહિ, ત્યારે શમભાવની વૃદ્ધિના પરિણામરૂપ સંયમ માટે બાહ્ય અપવાદિક વિપરીત આચરણા કલ્પ છે. તેથી કલ્પિકા પ્રતિસેવના ગુણવૃદ્ધિનું જ કારણ છે, તેના ભેદોને જે સાધુ જાણતા નથી અને પ્રાયશ્ચિત્ત આપે છે, તે અગીતાર્થ છે. II૪૦૪ અવતરણિકા : अत्रैव दृष्टान्तमाह અવતરણિકાર્ય : આમાં જ=અગીતાર્થ સાધુ દ્રવ્યાદિને જાણતા નથી એમ સ્થાપન કર્યું એમાં જ, દૃષ્ટાંતને કહે ગાથા = जह नाम कोइ पुरिसो, नयणविहूणो अदेसकुसलो य । कंताराडविभीमे, मग्गपणट्ठस्स सत्थस्स ।।४०५ ।। ગાથાર્થઃ જેમ કોઈ આંખ વગરનો માર્ગને નહિ જાણનારો પુરુષ ભયંકર અટવીમાં માર્ગથી નાશ પામેલા સાર્થને માર્ગ બતાવવા ઈચ્છે એમ આગળની ગાથા સાથે સંબંધ છે. II૪૦૫ણા ટીકાઃ यथा नाम कश्चित् पुरुषो नयनविहीनोऽन्धः, अदेशकुशलश्चामार्गज्ञो भीमकान्ताराटव्यां | भीषणदुर्गारण्ये, गाथायां भीमशब्दस्य परनिपातः प्राकृतत्वात्, मार्गात् प्रणष्टो विमूढ मार्गप्रणष्टस्तस्य સાર્થક્ષ્ય ।।૪૦|| ટીકાર્ય : યથા નામ ..... સાર્થસ્થ ।। જે પ્રમાણે આંખ વગરનો કોઈ પુરુષ=અંધ અને અદેશકુશલ=અમાર્ગજ્ઞ, ભયંકર અટવીમાં=ભીષણ દુર્ગ એવા અરણ્યમાં, માર્ગથી પ્રષ્ટ=માર્ગથી વિમૂઢ, માર્ગપ્રનષ્ટ એવા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy