SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૧૮ ૧૯૯ ગાથા : जह सरणमुवगयाणं, जीवाणं निकिंतइ सिरे जो उ । एवं आयरिओ वि हु, उस्सुत्तं पनवंतो उ ।।५१८ ।। ગાથાર્થ : જેમ જે વળી શરણને પામેલા જીવોના મસ્તકોને છેદે છે, તેમ ઉસૂત્રને કહેતા આચાર્ય પણ પોતાને અને પરને દુર્ગતિમાં નાખે છે, એમ અન્વય છે. આપ૧૮ll ટીકા : यथा शरणं भयार्त्तत्राणलक्षणम्, उपगतानामभ्युपगतानां जीवानां देहिनां निकृन्तति छिनत्ति शिरांसि मस्तकानि यस्तु स तथा दुर्गतावात्मानं क्षिपतीति वर्त्तते, एवमनेनैवोपमानेनाचार्योऽपि गुरुरप्यास्तामपरः, हुरलङ्कारे, उत्सूत्रमागमादुत्तीर्णं प्रज्ञापयन् प्ररूपयन्, तुशब्दादाचरंश्च तान् आत्मानं च दुर्गतौ ક્ષિતિતિ પ૨૮ાા ટીકાર્ચ - યથા શરdi ... ક્ષિપ્રતીતિ | જેમ શરણને=ભયથી દુઃખી થયેલાના રક્ષણરૂપ શરણને, પામેલા જીવોના મસ્તકોને જે વળી છેદે છે, તેમ તે દુર્ગતિમાં પોતાને રાખે છે, એ રીતે=આ જ ઉપમાનથી, આચાર્ય પણ ગુરુ પણ=બીજા દૂર રહો ગુરુ પણ, ઉસૂત્રને=આગમથી ઉત્તીર્ણને, પ્રજ્ઞાપત કરતો= કહેતો, તુ શબ્દથી આચરણ કરતો=ઉસૂત્રનું આચરણ કરતો, તેઓને અને પોતાને દુર્ગતિમાં નાખે છે, દુ શબ્દ અલંકારમાં છે. પ૧૮. ભાવાર્થ : સુસાધુ યોગ્ય શ્રોતાઓને સંસારનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે, મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે તે બતાવે છે અને મુક્ત અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય સર્વત્ર જીવની અસંગ પરિણતિ છે, તેથી મોક્ષના અર્થીએ અસંગ પરિણતિની વૃદ્ધિ થાય તે રીતે મન-વચન-કાયાને પ્રવર્તાવવાં જોઈએ, તે પ્રકારે શ્રોતાની યોગ્યતા અનુસાર ઉપદેશ આપે છે, જેનાથી શ્રોતાને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે અને સ્વયં પણ સંસારનો ઉચ્છેદ થાય તે રીતે અસંગભાવમાં જવા યત્ન કરે છે અને તે મહાત્માની અસંગભાવને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ જોઈને યોગ્ય જીવોને અસંગભાવને અનુકૂળ ઉચિત આચરણા કરવાનો ઉત્સાહ થાય છે. તે જ સાચા માર્ગની પ્રરૂપણા છે, તે પ્રકારે માર્ગની પ્રરૂપણા કરતા અને સ્વયં તે માર્ગમાં સમ્યગૂ યત્ન કરતા સાધુ ઉપદેશ દ્વારા અને આચરણા દ્વારા યોગ્ય જીવોને માર્ગમાં પ્રવર્તાવે છે અને જે તે પ્રકારે માર્ગની પ્રરૂપણા કરતા નથી, પરંતુ બીજી વાતો કરે છે, તેનાથી કલ્યાણના અર્થી જીવોને પણ સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ બને છે અને વિપરીત બોધ પામીને ઉન્માર્ગમાં માર્ગબુદ્ધિ કરે છે અને તેઓની સ્વકલ્પિત આચરણાને
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy