SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૫ ટીકા :__ अपि सम्भाव्यत एतद्विवेकिनाम्, इच्छन्त्यभिलषन्त्येव मरणं न च नैव परपीडां कुर्वन्ति मनसाऽप्यास्तां वाक्कायाभ्यां, के ? ये सुविदितसुगतिपथाः सुविज्ञातमोक्षमार्गाः, क इवेत्याह-सौकरिकसुतः कालसौकरिकपुत्रो यथा सुलस इति । ___ स हि अभयकुमाराद्धर्ममधिगम्य जातनिश्चयो मृते महादुःखेन कालसौकरिके नरकपातभयात् सौनिकत्वं नाभिललाष । परिजनाः प्रोचुर्यदत्र पापं तद्वयं विभागेन ग्रहीष्यामः, किं भयं भवत इति । ततोऽसौ तत्प्रत्ययार्थं कुठारेणात्मानमाहत्य पीडाविह्वलः पतितोऽवनावाह च धावत धावत लोकाः ! लात लात मामकीनामिमां पीडां विभज्येति, ते प्रोचुः-अशक्यमिदं, सोऽब्रवीत्कथं वदत पापं ग्रहीष्याम इति, ततो बुद्धाः सर्वेऽपीति ॥४४५।। ટીકાર્ય : ગપિ સન્માવ્યા .. સર્વેડીતિ | ગપ શબ્દ સમાધ્યતેલા અર્થમાં છે, વિવેકીઓનું આ સંભાવના કરાય છે, મરણને ઈચ્છે છે જ, મતથી પણ પરપીડાને કરતા નથી જ. વાણી અને કાયા દ્વારા દૂર રહો, કોણ પરપીડા કરતા નથી ? એથી કહે છે – જેઓ સુવિદિત સુગતિ માર્ગવાળા છે=જણાયો છે મોક્ષનો માર્ગ એવા જેઓ છે તેઓ મનથી પણ પરપીડા કરતા નથી, કોની જેમ ? એથી કહે છે – જેમ સૌકરિકપુત્ર=કાલસોકરિકનો પુત્ર સુલસ. તે સુલસ, અભયકુમાર પાસેથી ધર્મને પામીને થયેલા નિશ્ચયવાળો કાલસોકરિક મહાદુઃખથી મરણ પામ્ય છતે નરકમાં જવાના ભયથી કસાઈપણાને ઈચ્છતો હતો, પરિજનોએ કહ્યું – અહીં જે પાપ થાય, તેને આપણે વિભાગથી ગ્રહણ કરશું, તને શું ભય છે ? તેથી આ=સુલસ, તેની પ્રતીતિ કરાવવા માટે કુહાડા વડે પોતાને હણીને પીડાથી વિહ્વળ થયેલો પૃથ્વી ઉપર પડયો અને કહે છે – લોકો દોડો દોડો, મારી આ પીડાને વિભાગ કરીને લઈ લો, લઈ લો, તેમણે કહ્યું, આ અશક્ય છે, તે=જુલસ, બોલ્યો – બોલો, કેવી રીતે પાપને વિભાગ કરીને ગ્રહણ કરશે? તેથી સર્વે પણ બોધ પામ્યા. ૪૪પા ભાવાર્થ : જે મહાત્માઓ પૂર્વની ગાથામાં દુર્દરના દૃષ્ટાંતથી કહેલા જીવન-મરણના ચાર વિકલ્પોને યથાર્થ ભાવન કરે છે, તેમનો સુગતિનો પંથ સારી રીતે જણાયેલો છે; કેમ કે જીવને સુખ જ ઇષ્ટ છે, દુઃખ નહિ અને સુગતિના પંથના સેવનથી સુખ મળે છે એવા સ્થિર બોધવાળા જીવો તેવો પ્રસંગ આવે તો મૃત્યુ સ્વીકારે છે, પરંતુ મનથી પણ પરપીડાને કરતા નથી અર્થાત્ પોતાનું ચિત્ત અત્યંત દયાળુ રાખે છે અને પોતાનું ચિત્ત અત્યંત દયાળુ થઈ શકે તો સંયમ ગ્રહણ કરીને મન, વચન અને કાયાથી કોઈ જીવને પીડા ન થાય તે રીતે હંમેશાં ઉદ્યમ કરે છે, જેમ કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસે પોતાની ભૂમિકા અનુસાર પરપીડાના પરિવાર માટે યત્ન કરીને આત્મહિત સાધ્યું. II૪૪પા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy