SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૩૪-૩૫ કહેવાને માટે દુષ્કર થાય, આમ છતાં કોઈક દ્વારા કોઈક પાપ થઈ જાય તોપણ ગુણવાન ગુરુ પાસે જે મહાત્મા પોતાના થયેલા પાપનો મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક સ્વીકાર કરે છે અને અધ્યવસાયની વિશુદ્ધિને કારણે ફરી તેવાં પાપ નહિ કરવાનો અધ્યવસાય વર્તે છે, તેથી નિષ્પાપ જીવન પ્રત્યેનો પ્રવર્ધમાન શુભ અધ્યવસાય તે પાપથી વિરુદ્ધ ભાવવાળો હોવાથી તે પાપનો નાશ કરે છે. એટલું જ નહિ, યાવતું પાપોનો નાશ કરે છે; કેમ કે પાપ પ્રત્યેની જુગુપ્સા સર્વ પાપો પ્રત્યે જુગુપ્સા કરાવીને સંપૂર્ણ પાપરહિત અવસ્થા પ્રત્યે જીવને સન્મુખ કરે છે, તે પરિણામ પ્રકર્ષવાળો થાય તો તે પરિણામથી સર્વ પાપનો નાશ થાય છે, આથી જ મૃગાવતીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ll૩૪ll અવતરણિકા : तदेवमियमुपालभ्यमानापि न कषायिता, यश्चान्योऽप्येवं कुर्यात तद्गुणमाहઅવતરણિતાર્થ - આ રીતે ઉપાલંભ કરાતી પણ આ=મૃગાવતી, કષાયવાળી થઈ નહિ અને જે અન્ય પણ આ પ્રમાણે કરે, તેના ગુણને કહે છે – ગાથા : किं सक्का वोत्तुं जे, सरागधम्मम्मि कोइ अकसाओ । जो पुण धरेज्ज धणियं, दुव्बयणुज्जालिए स मुणी ।।३५।। ગાથાર્થ : સરાગ ધર્મમાં કોઈ અકષાયવાળો છે, (એ પ્રમાણે) કહેવાને શું શક્ય છે ? જે વળી અત્યંત દુર્વચન ઉવાલિત કષાયોને અત્યંત ધારણ કરે અર્થાત્ અત્યંત નિગ્રહ કરે તે મુનિ છે. ll૩૫ll ટીકા :___ 'किं सक्केति' किं शक्यम्, अनुस्वारलोपदीर्घत्वे प्राकृतलक्षणात्, वक्तुं, जेशब्दो वाक्यालङ्कारार्थः । सह रागेण वर्तत इति सरागः, द्वेषोपलक्षणं चैतत्, स चासौ धर्मश्च, तस्मिन् सरागधर्मेऽद्यतने कश्चिदविद्यमानक्रोधादिकषायाऽकषायोऽस्तीत्येतत्, किं वक्तुं शक्यं ? नैवेत्यभिप्रायः । यः पुनर्महात्मा धारयेदनुदयोदयप्राप्तविफलीकरणेन निगृह्णीयात्, धणियं-अत्यर्थं, दुर्वचनोज्ज्वालितान् कर्णकटुकवागिन्धनोद्दीपितान् कषायान् स, मन्यते यथावस्थितमोक्षकारणमिति मुनिः, पुनःशब्दस्य विशेषणार्थत्वात्सरागधर्मेऽपि वर्तमानो मुनिरेव विवेककलितत्वादिति ।।३५।। ટીકાર્ય :‘હિં સવતિ' . તત્કાિિર II શું શક્ય છે?=સરાગ ધર્મમાં કોઈ અકષાયવાળો છે એ પ્રમાણે
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy