SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૬૫-૧૬૬ અન્વયાર્થ : વિસરે રૂાને વિષમકાળ હોતે છત, જીત પુનોડનાખેડપિ=ગીતાર્થના વળી અલાભમાં પણ, ગામ-વવા માગો જનઅપવાદના ભયથી, I M વિ એકાકી ન વિચરે અગીતાર્થ સાધુ એકાકી ન વિચરે. તંતમિત્રતંત્રમાંક પંચકલ્પભાષ્યમાં, પરં=આ= આગળની ગાથામાં કહેવાશે એ, વમિત્ર વ્યવસ્થિત છે. ગાથાર્થ : વિષમકાળ હોતે છતે ગીતાર્થના વળી અલાભમાં પણ જનઅપવાદના ભયથી અગીતાર્થસાધુ એકાકી ન વિચરે. (ચતઃ જે કારણથી) શાસ્ત્રમાં આ વ્યવસ્થિત છે. ll૧પ * ‘નામેfપ' માં ‘પ' થી એ કહેવું છે કે ગીતાર્થના લાભમાં તો આરાધક સાધુ એકાકી ન વિચરે પણ ગીતાર્થના અલાભમાં પણ આરાધક સાધુ એકાકી ન વિચરે. ભાવાર્થ - ગીતાર્થના અલાભમાં પણ અગીતાર્થને એકાકી વિહારનો નિષેધ : ગાથા-૧૫ર પૂર્વે સાધુએ ગુરુકુળવાસમાં વસવું જોઈએ એ વાત પુષ્ટ કરી. ત્યારપછી ગાથા-૧૫રમાં કહ્યું કે મૂઢ સાધુ એકાકી વિહાર દ્વારા ગુરુકુળવાસના ગુણોથી વંચિત થાય છે. અહીં પ્રશ્ન થાય કે આરાધક સાધુને આરાધના સારી થતી હોય તો સશાસ્ત્રોના બોધનું કારણ બને અને સારણાવારણાઆદિથી યુક્ત હોય તેવો ગુરુકુળવાસ ન છોડે, પરંતુ જ્યાં સંયમની આરાધના સારી ન થતી હોય ત્યાં “ર યામા ' સૂત્રને અવલંબીને ગુરુકુળવાસને છોડીને એકાકી વિચરે તો શું વાંધો? તેનો ખુલાસો ગાથા-૧૫થી ૧૬૪ સુધી કર્યો કે “ યાત્નમાળા' સૂત્ર ગીતાર્થને આશ્રયીને છે, અન્ય સાધુને આશ્રયીને નહિ. તેથી પ્રશ્ન થાય કે જેમ ગીતાર્થસાધુને નિપુણ સહાય ન મળે તો શાસ્ત્રકારોએ સંયમની આરાધના અર્થે “ર યાત્નમન્ના' સૂત્રથી એકાકી વિહારની અનુજ્ઞા આપી છે, તેમ અગીતાર્થ સાધુ પણ ગીતાર્થની નિપુણ સહાય ન મળે અને એકાકી ન વિચરે તો કઈ રીતે તેમના સંયમનું રક્ષણ કરે? તેથી કહે છે વર્તમાનકાળ વિષમ છે. તેથી આરાધક સાધુ પણ ગીતાર્થનો અભાવ પ્રાપ્ત થાય ત્યારે જો એકલા વિચરે તો લોકમાં શાસનની અવહેલના થાય, અને તેવા સંયોગોમાં શું ઉચિત કરવું જોઈએ તેનો નિર્ણય આરાધક સાધુ પણ અગીતાર્થ હોવાના કારણે કરી શકે નહિ; અને તેને એકાકી વિહાર કરવાનો સર્વથા નિષેધ છે, તેથી તેણે પાસત્થા આદિ પાંચમાંથી કોઈ અન્યતરની સાથે રહીને પણ ગીતાર્થના લાભની ગવેષણા માટે યત્ન કરવો જોઈએ, એ પ્રકારની શાસ્ત્રમર્યાદા વ્યવસ્થિત છે, જે સ્વયં ગ્રંથકાર ગાથા-૧૬માં બતાવે છે. ૧૬પી. અવતરણિકા : ગાથા-૧૬ના અંતે કહ્યું કે “તંત્રમાં આ વ્યવસ્થિત છે.” તે તંત્રનું વચન પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy