SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૭૯-૮૦-૮૧ મિથ્યાષ્ટિની ભક્તિ પ્રશંસાપ્રાપ્ત થાય નહિ. વળી, નિશ્ચય-વ્યવહારથી તેના ભેદો બતાવ્યા; તેથી એ નક્કી થાય કે ગીતાર્થ સાધુ ઉચિત સ્થાને વ્યવહારનયને જોડીને અને ઉચિત સ્થાને નિશ્ચયનયને જોડીને પાત્ર-અપાત્રનો વિભાગ કરે, અને તે રીતે ગીતાર્થ સાધુ મિથ્યાદષ્ટિ એવા યોગ્ય જીવોની કરાયેલી ભક્તિને પણ પાત્રની ભક્તિ તરીકે સ્વીકારીને તે ભક્તિની પ્રશંસા પણ કરે. ૭ અવતરણિકા - ગીતાર્થ માટે કયું દાન પ્રશંસનીય છે અને કયું દાન નિષેધ કરવા યોગ્ય છે તે ગાથા-૭૬-૭૭ માં બતાવ્યું. ત્યારપછી સુપાત્રદાન માટેનાં પાત્રો કોણ છે તેની ચર્ચા ગાથા-૭૮-૭૯ માં કરી. તેથી એ પ્રાપ્ત થાય કે અપાત્રમાં દાનનો નિષેધ કરવામાં ઉપદેશકને દોષ નથી; આમ છતાં અપાત્રમાં દાનના નિષેધને કહેનારા ભગવતીસૂત્રના વચનનું તાત્પર્ય શું છે, તે સ્પષ્ટ કરવા માટે કહે છે – ગાથા : जं पुण अपत्तदाणे, पावं भणिअं धुवं भगवईए । तं खलु फुडं अपत्ते, पत्ताभिणिवेसमहिगिच्चा ॥८॥ यत्पुनरपात्रदाने पापं भणितं ध्रुवं भगवत्याम् । तत्खलु स्फुटमपात्रे पात्राभिनिवेशमधिकृत्य ॥८०॥ ગાથાર્થ : જે વળી ભગવતીમાં અપાત્રદાન આપવામાં નિશ્ચે પાપ કહેવાયું છે, તે સ્પષ્ટ અપાત્રમાં પાત્રના અભિનિવેશને આશ્રયીને છે. I૮૦માં ગાથા : इहरा उ दाणधम्मे, संकुइए होइ पवयणुड्डाहो । मिच्छत्तमोहजणओ, इय एसा देसणा सुद्धा ॥८१॥ इतरथा तु दानधर्मे संकुचिते भवति प्रवचनोड्डाहः । मिथ्यात्वमोहजनक इत्येषा देशना शुद्धा ॥८१॥ ગાથાર્થ : ઈતરથા=અપાત્રમાં પાત્રના અભિનિવેશને આશ્રયીને અપાત્રમાં દાનનો નિષેધ જો ન સ્વીકારવામાં આવે, પરંતુ અપાત્રમાં દાનનો એકાંત નિષેધ સ્વીકારવામાં આવે, તો દાનધર્મમાં સંકોચ થયે છતે મિથ્યાત્વમોહનો જનક એવો પ્રવચનનો ઉડ્ડાહ-પ્રવચનનું હલકાપણું થાય. એ પ્રકારની ગાથા-૯પ થી અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારની, આ દેશના શુદ્ધ છે. ll૮૧
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy