SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત શબ્દાર્થ – તદ્ મહોતે નંદનવનની નીચે નવર હૃ-પરંતુ અહિં વિશેષમાં વંચસર્દેિ-પાંચસો જન ઉતરતાં 'ચિય -દિગજકૂટ, કરિકૂટ, મિિમહિતલ ઉપર, ભૂમિ ઉપર હસ્તિકૂટ તવ-તેવાજ પ્રકારનું વન વિથ વનને વિસ્તાર મદ્રાવ-ભદ્રશાલવન રૂ-(૧૨૫ મી ગાથા) પ્રમાણે જાથાર્થ –તે નંદનવનની નીચે ૫૦૦ એજન ઉતરતાં ભૂમિ ઉપર ભદ્રશાલ નામનું વન છે, તે પણ તેવા જ પ્રકારનું (નન્દનવન સરખું) છે. પરતું વિશેષ એ છે અહિં (દિશાકુમારીનાં કૂટને બદલે) દિગ્ગજ ફૂટે છે, અને વનને વિસ્તાર આ (૧૨૫ મી ગાથામાં કહેવાશે તે) પ્રમાણે છે ૧૨૪ છે વિસ્તરાર્થ-હવે ભદ્રશાલ નામના વનનું સ્વરૂપ આ પ્રમાણે— | ભૂર્મિ ઉપર મેરૂપર્વતનું મસીજીવન મેરૂ પર્વતની તલહટીસ્થાને ભૂમિઉપર ભદ્રશાલ નામનું વન નંદનવનથી ૫૦૦ જન છે. તેનું સ્વરૂપ પૂર્વે કહેલા નંદનવન સરખું છે, પરતું નંદનવનમાં દિશાકુમારીના ફટ છે, તે આ ભદ્રશાલવનમાં દિગ્ગજ નામનાં આઠ ફૂટ રિટ નામથી પ્રસિદ્ધ છે, તથા નવમું બલકૂટ જેવું સહસ્ત્રાંકકુટ આ વનમાં નથી, એ તફાવત છે. તથા અહિં મેરૂની ચારે દિશાઓમાં સીતા તથા સીતાદા મહાનદીઓના પ્રવાહ મધ્યભાગમાં આવવાથી જિનભવને બરાબર દિશામાં નથી, પરંતુ નદીના કિનારા ઉપર છે, અને વિદિશાઓમાં ચાર ગજદંતગિરિ આવવાથી પ્રાસાદે બરાબર વિદિશામાં નથી, પરતું ગજદંતગિરિની કિનારીઓ પાસે છે, માટે તે આઠે કરિકૂટ ચાર જિનભવન અને ચાર પ્રસાદનું નિયત સ્થાન આ પ્રમાણે – - ભદ્રશાલવનમાં કરિફટ જિનભવન અને પ્રાસાદેના સ્થાન છે ભદ્રશાલવન બે નદીઓના ચાર પ્રવાહ વડે ચાર વિભાગવાળું થયું છે, પુનઃ દરેક વિભાગમાં એકેક ગજદંતગિરિને દેશ-ભાગ આવવાથી ૮ વિભાગવાળું થયું છે, તેમાં પહેલે વિભાગ મેરૂથી ઇશાન કોણમાં માલ્યવંત ગજદંતગિરિ અને સીતાનદીને પૂર્વ સન્મુખ વહેતા પ્રવાહ એ બેની વચ્ચે છે, ત્યાર બાદ દક્ષિણાવર્તના અનુક્રમ પૂર્વક બીજે ત્રીજો આદિ આઠે વિભાગ યથાસંભવ જાણવા. એ પ્રમાણે એ આઠભાગમાં ચાર દિશિતરફના ચારભાગમાં મેરૂથી ૫૦ યોજન દૂર ચાર શાશ્વતજિનભવને નદીના કિનારા ઉપર છે. અને કુરુક્ષેત્ર તથા ગજદંતથી બહાર ચાર વિદિશિવિભાગમાં ચાર ઈન્દ્રપ્રસાદ દરેક ચાર દિશાએ ચાર ચાર વાપિકા યુક્ત છે. એ પ્રમાણે ચાર જિનભવનો અને ૪ પ્રાસાદો એ આઠના આઠ આંતરામાં હાથીના આકાર સરખાં આઠ ભૂમિકૂટ–પર્વતે છે, તે પણ મેરૂથી ૫૦ એજન દુર છે. તે આ પ્રમાણે
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy