SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો પ્રકાશ જન્મ મૃત્ય ત્યાં પણ ઘણી સંપદા હોય તે શું કામની ? તારે મૂર્ખતા જોઈતી હોય, તો તું ગામડામાં ત્રણ દિવસ રહે, કારણ કે ત્યાં નવું અધ્યયન થાય નહિ, અરે ! પૂર્વે ભણેલું હોય તે પણ ભૂલી જવાય. ૩૭૧ એવી વાત સંભળાય છે કે – કોઈ નગરનો રહીશ વણિક થોડા વણિકની વસતિવાળા એક ગામડામાં જઈ દ્રવ્ય-લાભને માટે રહ્યો. ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી તેણે ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનું ઘાસનું ઝુપડું હતું તે બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચોરની ધાડ, તો કોઈ વખતે દુકાળ, રાજદંડ વગેરેથી તેનું ધન જતું રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચોરોએ કોઈ નગરમાં ધાડ પાડી તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનું (ચોરોનું) ગામડું બાળી નાખ્યું, અને શેઠના પુત્રાદિકને સુભટોએ પકડયા. ત્યારે શેઠ સુભટોની સાથે લડતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉ૫૨ દાખલો છે. રહેવાનું સ્થાનક ઉચિત હોય તો પણ ત્યાં સ્વચક્ર, પરચક્ર, વિરોધ, દુષ્કાળ, મરકી, અતિવૃષ્ટિ વગેરે, પ્રજાની સાથે કલહ, નગર આદિનો નાશ ઈત્યાદિ ઉપદ્રવથી અસ્વસ્થતા ઉત્પન્ન થઈ હોય તો, તે સ્થાન શીઘ્ર છોડી દેવું. તેમ ન કરે તો ધર્માર્થકામની કદાચ હાનિ થાય. જેમ યવન લોકોએ દિલ્હી શહેર ભાંગી નાંખ્યું, ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છોડી, અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યો. તેમણે પોતાના ધર્મ-અર્થ-કામની પુષ્ટિ કરીને આ ભવ તથા પરભવને સફળ કર્યા, અને જેમણે દિલ્હી છોડી નહિ. તે લોકોએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પોતાના બન્ને ભવ પાણીમાં ગુમાવ્યા. નગરક્ષય થયે સ્થાનૃત્યાગ ઉપર ક્ષિતિપ્રતિષ્ઠિતપુર, વણકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં કહ્યું છે કે – ક્ષિતિપ્રતિષ્ઠિત, વણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે. અહીં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર, ગામ વગેરેનો વિચાર કર્યો. સારા-નરસા પાડોશથી લાભ હાનિ હવે ઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે, માટે તેનો વિચાર કરીએ છીએ. સારા માણસે પોતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય ત્યાં કરવું તથા બહુ ખૂણામાં ગુપ્ત ન કરવું. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિત બારણાં આદિ ગુણ જે ઘરમાં હોય, તે ઘર ધર્માર્થકામને સાધનારું હોવાથી રહેવાને ઉચિત છે. ખરાબ પાડોશી શાસ્ત્રમાં નિષિદ્ધ કર્યા છે, તેટલા સારું કે તિર્યંચ યોનિના પ્રાણી, તલા૨, બૌદ્ધ વગેરેના સાધુ, બ્રાહ્મણ, સ્મશાન, વાઘરી, વ્યાઘ, ગુપ્તિપાળ, ધાડપાડુ, ભિલ્લ, મચ્છીમાર, જુગારી, ચોર, નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા અને કુકર્મ કરનાર એટલા લોકોનો પાડોશ પોતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજવો. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહીં તેમજ દેવમંદિર પાસે ઘર હોય તો દુઃખ થાય, ચૌટામાં હોય તો હાનિ થાય, અને ઠગ તથા પ્રધાન વિગેરેના ઘર પાસે આપણું ઘર હોય તો પુત્રનો તથા ધનનો નાશ થાય. પોતાનું હિત ઈચ્છનારો બુદ્ધિશાળી પુરુષ મૂર્ખ, અધર્મી, પાખંડી, પતિત, ચોર, રોગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરુની સ્ત્રીને ભોગવનાર, વૈરી, પોતાના સ્વામીને ઠગનાર, લોભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા બાળહત્યા કરનારા એમનો પાડોશ તજે. કુશીલિયા વગેરે પાડોશી હોય તો તેમના
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy