________________
પ્રથમ દિન કૃત્યપ્રકાશ
૨૬૫ ૧. ઉપાડેલો ભાર વહેવો, ૨. ટાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩. હંમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શિખામણો ગધેડા પાસેથી લેવી.
આ વિગેરે નીતિશાસ્ત્રમાં કહેલા સર્વ ઉચિત આચરણનો સુશ્રાવકોએ સમ્યફ પ્રકારે વિચાર કરવો. કહ્યું છે કે-જે માણસ હિત કયું? અહિત કર્યું? ઉચિત વાત કઈ? અનુચિત કઈ? વસ્તુ કઈ ? અવસ્તુ કઈ ? એ પોતે જાણી શકતો નથી, તે શિંગડા વિનાનો પશુ, સંસારરૂપી વનમાં ભટકે છે. જે માણસ બોલવામાં, જોવામાં, રમવામાં, પ્રેરણા કરવામાં, રહેવામાં, પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, શોભવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં, અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કાંઈ જાણતો નથી, તે બેશરમ-શિરોમણિ દુનિયામાં શા માટે જીવતો હશે? જે માણસ પોતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભોગવવું, પહેરવું, બોલવું. એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાનું જાણવો. આ સંબંધી વિસ્તારથી લખવાની કાંઈ વિશેષ જરૂર જણાતી નથી. '
વ્યવહારશુદ્ધિ ઉપર ધનમિત્રની કથા વ્યવહારશુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પૈસા મેળવવા સંબંધી આ પ્રમાણે દષ્ટાંત છે -
વિનયપુરનગરમાં ધનવાન એવો વસુભદ્રનો ધનમિત્ર નામનો પુત્ર હતો. નાનપણમાં તેના માતા-પિતા મરણ પામવાથી તે ઘણો દુઃખી તથા ધનની હાનિ થવાથી ઘણો દરિદ્રી થયો. તરૂણ અવસ્થામાં પણ તેને કન્યા મળી નહીં. ત્યારે તે શરમાઈને ધન મેળવવા માટે પરદેશ ગયો. જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિદ્ધિરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાતજાતના વ્યાપાર, રાજાદિકની સેવા વગેરે ઘણા ઉપાય કર્યા, તો પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય
ઉદ્વિગ્ન થઈ, ગજપુરનગરમાં કેવળી ભગવાનને પોતાનો પૂર્વભવ પુછયો. - કેવળી ભગાવને કહ્યું, "વિજયપુરનગરમાં ઘણો કૃપણ એવો ગંગદત્ત નામનો ગૃહપતિ રહેતો હતો. તે ઘણો મત્સરી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કોઈને લાભ થતો હોય તો તેમાં પણ અંતરાય કરતો હતો. એક વખતે સુંદર નામનો શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગયો. કાંઈક ભાવથી તથી કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચૈત્યવંદન કરવાનો અભિગ્રહ બરાબર પાળ્યો. તે પુણ્યથી હે ધનમિત્ર ! તું ધનવાનનો પુત્ર થયો. અને અમને મળ્યો તથા પૂર્વભવે કરેલા પાપથી ઘણો દરિદ્રી અને દુઃખી થયો. જે જે રીતે કર્મ કરાય છે, તે જ રીતે તેના કરતાં હજારગણું ભોગવવું પડે છે, એમ જાણીને ઉચિત હોય તે આચરવું.
કેવળીના એવા વચનથી પ્રતિબોધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચરવો, એવો અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં ફૂલ ભેગાં કરીને તે ઘર દેરાસરમાં ભગવાનની પરમ-ભક્તિથી પૂજા કરતો હતો. તથા બીજા, ત્રીજા વગરે પહોરમાં દેશવિરુદ્ધ, રાજવિરુદ્ધ વગેરેને છોડી દઈને વ્યવહાર શુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોકત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતો હતો, તેથી તેને નિર્વાહ જેટલું સુખ મળવા લાગ્યું. એમ કરતાં જેમ જેમ તેની ધર્મને વિષે દઢતા થઈ તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણીમાં વધુ ને વધુ વ્યય કરવા લાગ્યો.