SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણાંખરાં પદોની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધર્મી લોકો દેશવિરૂદ્ધ, કાળવિરૂદ્ધ, રાજવિરૂદ્ધ અથવા લોકવિરૂદ્ધ આચરણ કરે તો તેથી ધર્મની નિંદા થાય છે, માટે તે સર્વ ધર્મવિરૂદ્ધ સમજવું. ઉપર કહેલું પાંચ પ્રકારનું વિરૂદ્ધકર્મ શ્રાવકે છોડવું. આ રીતે દેશાદિ પાંચ વિરૂદ્ધકર્મનો ત્યાગ કરવાનું કહ્યું છે. ઉચિત આચારો અને તેના નવ ભેદ હવે ઉચિતકર્મ કહીએ છીએ. ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબંધી વગેરે નવ પ્રકાર છે. ઉચિતાચરણથી આ લોકમાં પણ સ્નેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. તે હિતોપદેશમાળામાં જે ગાથાઓ વડે દેખાડયું છે, તે અહીં લખીએ છીએ. માણસમાત્રનું માણસપણું સરખું છતાં કેટલાક માણસો જ આ લોકમાં યશ પામે છે, તે ઉચિત આચરણનો મહિમા છે એમ નક્કી જાણવું તે ઉચિત આચરણના નવ પ્રકાર છે, તે એ કે - ૧. પોતાના પિતા સંબંધી, ૨. માતા સંબંધી, ૩. સગા ભાઈ સંબંધી, ૪. સ્ત્રી સંબંધી, ૫. પુત્ર-પુત્રી સંબંધી, ૬. સગાવહાલાં સંબંધી, ૭. વડીલ લોકો સંબંધી, ૮. શહેરના રહીશ લોકો સંબંધી તથા ૯. અન્ય દર્શની સંબંધી, એ નવ પ્રકારનું ઉચિત આચરણ દરેક માણસે કરવું જોઈએ. હવે પિતાના સંબંધમાં મન-વચન-કાયાંથી ત્રણ પ્રકારે ઉચિત આચરણ કરવું જોઈએ તે સંબંધે હિતોપદેશમાળાના કર્તા કહે છે કે – પિતાનું ઉચિત. પિતાની શરીર-સેવા ચાકરની જેમ પોતે વિનયથી કરવી, તે એમ કે – તેમના પગ ધોવા તથા દાબવા, વૃદ્ધ અવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અનુસારથી તેમને સદે એવું ‘ભોજન, બિછાનું, વસ્ત્રો, ઉવટણું વગેરે ચીજો આપવી. એ તથા એવાં બીજાં પિતાજીનાં કામ સુપુત્રે વિનયથી કરવાં, કોઈના કહેવાથી પરાણે અથવા કચવાતા અને તિરસ્કાર વગેરેથી ન કરવાં. અને તે પોતે કરવાં, પણ ચાકર વગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે -પુત્ર પિતા આગળ બેઠો હોય ત્યારે તેની જે શોભા દેખાય છે, તે શોભાનો સોમો ભાગ પણ તે ઉંચા સિંહાસન ઉપર બેસે તો પણ કયાંથી આવે? તથા મુખમાંથી બહાર પડયું ન પડયું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અર્થે રાજ્યાભિષેકને અવસરે જ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની જેમ સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાં જ "હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાં જ કરૂં છું.” એમ કહી ઘણા માનથી તે વચન સ્વીકારવું, પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણીવાર લગાડવી અથવા કહેલું કામ.અધૂરું મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. * સુપુત્રે દરેક કામમાં દરેક રીતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું, કેમકે પોતાની બુદ્ધિથી કાંઈ ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તો પણ તે પિતાને મનગમતું હોય તો જ કરવું. તથા સેવા ગ્રહણ આદિ
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy