SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ : ૨૪૧ હિતોપદેશમાલામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લોક તથા ધર્મ આમાંથી કોઈને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જો વર્ષે, તો તે સમતિ અને ધર્મ પામે, તેમાં સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવવો એ દેશવિરુદ્ધ છે. બીજાં પણ જે દેશમાં શિખ લોકોએ જે વર્યું હોય તે તે દેશમાં દેશવિરુદ્ધ જાણવું. અથવા જાતિ, કુળ વગેરેની રીતભાતને જે અનુચિત હોય તે દેશવિરુદ્ધ કહેવાય. જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું તથા તલ, લવણ વગેરે વસ્તુનો વિક્રય કરવો એ દેશવિરૂદ્ધ છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે તલનો વ્યાપાર કરનાર બ્રાહ્મણો જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલોકે તલની જેમ ઘાણીમાં પીલાય છે. કુળની રીતભાત પ્રમાણે તો ચૌલુક્ય વગેરે કુળમાં થયેલા લોકોને મદ્યપાન કરવું તે દેશવિરૂદ્ધ છે; અથવા પરદેશી લોકો આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરૂદ્ધ કહેવાય છે. કાળવિરૂદ્ધ હવે કાળવિરૂદ્ધ આ રીતે :- શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળ માં, જ્યાં ઘણું પાણી, ભેજ અને ઘણો જ ચીકણો કાદવ રહે છે, એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કોંકણ વગેરે દેશમાં પોતાની સારી શક્તિ તથા કોઈની સારી સહાય વગેરે ન હોવા છતાં જવું; તથા ભયંકર દુકાળ પડયો હોય ત્યાં, બે રાજાઓની માંહોમાંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યો હોય ત્યાં, અથવા પાર ન થઈ શકાય એવા મોટા જંગલમાં તથા સમીસાંજ વગેરે ભયંકર સમયમાં પોતાની તેવી શક્તિ વિના તથા કોઈની તેવી સહાય વગેરે વિના જવું કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, નહીં તો બીજો કોઈ અનર્થ સામો આવે, તે કાળવિરૂદ્ધ કહેવાય. અથવા ફાગણ માસ ઉતરી તલ પિલવા, તલનો વ્યાપાર કરવો, અથવા તલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણી જીવાકુળભૂમિ હોય ત્યાં ગાડી, ગાડાં ખેડવાં વગેરે. એવો મોટો દોષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરૂદ્ધ કહેવાય. રાજવિરૂદ્ધ . હવે રાજવિરૂદ્ધ આ રીતે રાજા વગેરેના દોષ કાઢવા. રાજાના માનનીય મંત્રી વગેરેનું આદરમાન ન કરવું, રાજાથી વિપરીત એવા લોકોની સોબત કરવી, વૈરીના સ્થાનકમાં લોભથી જવું, વૈરીના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખવો, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કરવો, નગરના આગેવાન લોકોથી વિપરીત ચાલવું, પોતાના ધણી સાથે નમકહરામી કરવી, વગેરે રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુસહ છે. જેમ ભુવનભાનુ કેવળીના-જવરૂપ રોહિણીનું થયું તેમ. તે રોહિણી નિષ્ઠાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી, તો પણ વિકથાના રસથી વૃથા રાણીનું કુશળપણું વગેરે દોષો બોલવાથી રાજાને તેના ઉપર રોષ ચઢયો, તેથી ઉત્તમ શ્રેષ્ઠીની પુત્રી હોવાથી માનીતી એવી રોહિણીની
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy