SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ પારકાના ઉપભોગમાં આવે છે; માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વકર્મના યોગથી તેમ થાય, ત્યારે ઉત્તરોત્તરથી બાધા થાય તો પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કરવું. તે આ રીતે : કામને બાધા થાય તો પણ ધર્મનું અને અર્થનું રક્ષણ કરવું, કારણ કે ધર્મ અને અર્થની સારી રીતે રક્ષા કરી હશે તો કામ-ઈચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તો પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી, કેમકે અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે-ગમે તો કોપરીમાં ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવતો હોય, તો પણ માણસ જો પોતાના ધર્મને બાધા ન ઉપજાવે, તો તેણે એમ જાણવું કે, "હું મોટો ધનવાન છું.” કારણ કે, ધર્મ તે જ સપુરુષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની જેમ વૃથા જાણવું. તે ત્રણમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. આવક મુજબ ખર્ચનું પ્રમાણ દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-જેટલી નાણાંની આવક હોય તેના ચોથા ભાગનો સંચય કરવો; બીજો ચોથો ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડવો, ત્રીજો ચોથો ભાગ ધર્મકૃત્યમાં તથા પોતાનો ઉપભોગમાં લગાડવો અને ચોથો ચતુર્થ ભાગ કુટુંબના પોષણને અર્થે ખરચવો. કેટલાક અમે કહે છે કે - પ્રાપ્તિનો અર્થો અથવા તે કરતાં પણ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપરવો અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં, કારણ કે, એક ધર્મ વિના બાકીનાં કાર્યો નકામાં છે. કેટલાક લોકો કહે છે કે - ઉપર આપેલાં બે વચનોમાં પહેલું વચન ગરીબ ગૃહસ્થને તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે એમ સમજવું. તથા જીવિત અને લક્ષ્મી કોને વલ્લભ નથી? પણ અવસર આવે પુરુષો તે બન્નેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે. ૧ યશનો ફેલાવો કરવો હોય, ૨ મિત્રતા કરવી હોય, ૩ પોતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પોતાના નિધન બાંધવોને સહાય કરવી હોય, ૫ ધર્મકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કરવો હોય, ૭ શત્રુનો ક્ષય કરવો હોય અથવા, ૮ કાંઈ સંકટ આવ્યું હોય તો ડાહ્યા પુરુષો (એ આઠ કૃત્યોમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરુષ એક કાંકિણી (પૈસાનો ચોથો ભાગ) પણ ખોટે માર્ગે જાય તો એક હજાર સોનૈયા ગયા એમ સમજે છે, તે જ પુરુષ યોગ્ય અવસર આવે ક્રોડોધનનું છૂટા હાથથી ખરચ કરે, તો લક્ષ્મી તેને કોઈ વખતે પણ છોડે નહીં. આ વિષય ઉપર એક દષ્ટાંત નીચે પ્રમાણે છે : નવી વહુનું દષ્યતા એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પોતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટાવડે પગરખાને ચોપડતાં જોયો. તે જોઈને તે મનમાં વિચારવા લાગી કે, "મારા સસરાની એ કૃપણતા છે કે ઘણી કરકસર છે?" એવો સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy