SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૯૯ આંખમાંથી અંજન ગયું તથા રાફડાનું વધવું દેખીને (એટલે સવાર થયું જાણીને) દાન આપવું અને નવો અભ્યાસ કરવો, એવી કરણીઓ કરવામાં દિવસ વાંઝિયો ન કરવો. * પોતાની સ્ત્રી, ભોજન અને ધન, એ ત્રણ પદાર્થમાં સંતોષ કરવો, પણ દાન, અધ્યયન, અને તપમાં સંતોષ કરવો જ નહીં, ધર્મસાધન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે જાણે યમરાજે મારા મસ્તકના કેશ પકડી દીધા છે તે છોડનાર નથી માટે જેટલું થાય તેટલું ત્વરાથી કરી લઉં અને વિદ્યા તથા દ્રવ્ય ઉપાર્જન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે હું તો અજર અમર છું માટે શીખાય એટલું શીખે જ જવું, એવી બુદ્ધિ ન રાખે તો શીખી જ શકાય નહીં. અતિશય રસના વિસ્તારથી ભરેલા અને આગળ કોઈ દિવસ શીખેલા નહીં એવા નવીન જ્ઞાનના અભ્યાસમાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ તે નવા અભ્યાસનો કરનાર મુનિ નવા નવા પ્રકારના સંયોગ (વૈરાગ) અને શ્રદ્ધાથી આનંદિત થાય છે. જે પ્રાણી આ લોકમાં અપૂર્વ અભ્યાસ નિરંતર કરે છે તે પ્રાણી આવતા ભવમાં તીર્થકરપદને પામે છે. અને જે પોતે બીજા શિષ્યાદિકને સમ્યજ્ઞાન ભણાવે છે તેને તેથી કેટલો બધો લાભ થશે તેનું શું કહેવાય? ઘણી જ થોડી બુદ્ધિ હોય તો પણ નવો અભ્યાસ કરવામાં ઉદ્યમ રાખવાથી માપ-તુષાદિક મુનિની જેમ તે જ ભવમાં કેવળજ્ઞાનાદિકનો લાભ પામી શકાય છે. માટે નવા અભ્યાસમાં નિરંતર પ્રવૃત્તિ રાખવી એ જ શ્રેયસ્કર છે. માસતુષ મુનિની કથા એક આભીરના પુત્રે મોટી ઉંમરમાં દીક્ષા લીધી. આવશ્યકના યોગોધ્વહન પછી ઉત્તરાધ્યયનના યોગ વખતે તેને પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થયો તેથી તેને ઘણી મહેનત કર્યા છતાં કાંઈ આવડ્યું નહિ. આથી ગુરૂએ 'મા રૂપ મા તુષ” એટલે કોઈપણ ઉપર ક્રોધ ન કરવો કે પ્રેમ ન રાખવો.” એ પદ ગોખવાનું આપ્યું. આ પદ સતત મોટા અવાજથી મુનિ ગોખવા લાગ્યા પણ તે બરાબર યાદ ન રહેતાં મા રુષ મા તુષ'ને બદલે માસ તુષ માસ તુષ” ગોખતાં છોકરાઓએ તેમનું નામ નિંદા અને હાસ્યથી માસ તુષ' પાડ્યું. લોકોના હાસ્ય અને નિંદાથી ક્રોધ ન કરતાં પોતાના પૂર્વ કર્મને સંભારી મુનિ સંવેગમાં સ્થિર થયા. બાર બાર વર્ષ સુધી આ પદ ગોખું પણ શુદ્ધ કંઠસ્થ ન થયું પણ તેનો ભાવ. "ક્રોધ ન કર અને પ્રેમ ન કર.” તે તો હૃદયગત વણાઈ ગયો અને મુનિ ક્ષેપક શ્રેણિ પામી મા રૂષ મા તુષ પદના જ્ઞાન સાથે સર્વ જ્ઞાન મેળવી કેવળજ્ઞાન પામ્યા. દ્રવ્ય ઉપાર્જન વિધિ જિનપૂજા કરી ભોજન કર્યા પછી જો રાજા વગેરે હોય તો કચેરીમાં, દીવાન વગેરે હોટો હોદેદાર હોય તો રાજસભામાં, વ્યાપારી વગેરે હોય તો બજાર કે દુકાને અથવા પોતપોતાના યોગ્ય સ્થાનકે આવી ધર્મમાં વિરોધ ન પડે એવી રીતે દ્રવ્ય ઉપાર્જનનો વિચાર કરે. રાજાઓએ આ દરિદ્રી છે કે ધનવાન છે, આ માન્ય છે કે અમાન્ય છે, તથા ઉત્તમ મધ્યમ અધમ જાતિ-કુળ સ્વભાવનો વિચાર કરીને (સર્વની સાથે એક સરખો ખરેખર) ન્યાય કરવો.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy