SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૬૫ ૪. ગુરુને પીઠ કરી બેસે તો અવિનય દોષ લાગવાથી આશાતના સમજવી. ૫. ગુરુને બે પડખે બરોબર બેસે તો પણ અવિનયનો દોષ લાગવાથી આશાચના સમજવી. ૬. ગુરુની પાછળ બેસવાથી થુંક બળખાના દોષનો સંભવ હોવાથી આશાતના થાય છે. ૭. ગુરુની આગળ ઉભા રહે તો દર્શન કરનારને અડચણ થવાથી આશાતના સમજવી. ૮. ગુરુની બે બાજુમાં ઊભા રહેવાથી સમાસન થાય તે અવિનય છે માટે આશાતના સમજવી. ૯. ગુરુની પાછળ ઉભા રહેવાથી થુંક, બળખો લાગવાનો સંભવ થવાથી આશાતના થાય છે. ૧૦. આહાર પાણી કરતાં પહેલાં ગુરુથી પહેલાં ચળ કરી (હાથ મોઢું ધોઈ) ઉઠી જાય તો આશાતના ગણાય. ૧૧. ગુરુથી પહેલાં ગમનાગમનની આલોયણા લે તો આશાતના સમજવી. ૧૨. રાતે સૂતા પછી ગુરુ બોલે કે, કોઈ જાગે છે? એમ પૂછવા છતાં પોતે કાંઈક જાગતો હોય પણ આળસથી ઉત્તર ન આપે તો આશાતના લાગે. ૧૩. ગુરુ કાંઈક કહેતા હોય તે પહેલાં પોતે બોલી ઉઠે તો આશાતના લાગે. ૧૪. આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરુને કહે તો આશાતના લાગે. ૧૫. આહાર-પાણી લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરુને દેખાડે તો આશાતના સમજવી. ૧૬. આહારપાણીની નિમંત્રણા પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરુને કરે તો આશાતના લાગે. ૧૭. ગુરુને પૂછયા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ, મધુર આહાર બીજા સાધુને આપે તો આશાતના લાગે. ૧૮. ગુરુને આપ્યા પછી સ્નિગ્ધાદિક આહાર વગર પૂછે ભોજન કરી લે તો આશાતના લાગે. - ૧૯. ગુરુને બોલ્યું, સાંભળ્યું અણસાંભળ્યું કરી જવાબ ન આપે તો આશાતના સમજવી. ૨૦. ગુરુના સામે કઠણ કે ઉચ્ચ સ્વરથી બોલે-જવાબ આપે તો આશાતના લાગે. ૨૧. ગુરુએ બોલાવ્યા છતાં પણ પોતાને સ્થાનકે જ બેઠાં ઉત્તર આપે તો આશાતના લાગે. ૨૨. ગુરુએ કંઈ કામ માટે બોલાવ્યા છતાં શું કહો છો? એમ ઉત્તર કરે તો આશાતના લાગે. ૨૩. ગુરુએ કંઈ કહે થકે તેવા જ વચનથી જવાબ કરે કે તમે જ કરોને? તો આશાતના લાગે. ૨૪. ગુરુનું વ્યાખ્યાન સાંભળીને રાજી ન થતાં ઉલટો મનમાં દુઃખ પામે તો આશાતના લાગે. ૨૫. ગુરુ કંઈક કહેતા હોય તો વચ્ચે બોલવા લાગી જાય કે એમ નથી, હું કહું છું તેમ છે, એમ કહી ગુરુ કરતાં અધિક વિસ્તારથી બોલવા મંડી જાય તો આશાતના લાગે. ૨૬. ગુરુ કથા કહેતા હોય તેમાં ભંગાણ પાડીને પોતે વાત કહેવા મંડી જાય તો આશાતના લાગે. ર૭. ગુરુની પર્ષદા (પરખદા) ભાંગી નાંખે, જેમકે હવે ગોચરીનો વખત થયો કે પડિલેહણ વેળા થઈ એમ કહી સર્વને ઉઠાડી મૂકે તો ગુરુનું અપમાન કર્યું કહેવાય તેથી પણ આશાતના લાગે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy