________________
૧૬૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જિનમંદિરની જઘન્ય ૧૦ આશાતના ૧. દેરાસરમાં તંબોળ (પાન-સોપારી) ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. જોડા-બુટ પહેરીને જવું, ૫. સ્ત્રી-સંભોગ કરવો, ૬. શયન કરવું, ૭. થુંકવું, ૮. પેશાબ કરવો, ૯. વડી નીતિ કરવી, ૧૦. જુગાર વિગેરે રમત કરવી. એ પ્રકારે દેરાસરની અંદરની દશ જઘન્ય આશાતના વર્જવી.
જિનમંદિરની મધ્યમ ૪૦ આશાતના ૧. દેરાસરમાં પેશાબ કરવો, ૨. વડીનીતિ કરવી, ૩. જોડા-બુટ પહેરવા. ૪. પાણી પીવું, ૫. ભોજન કરવું, ૬. શયન કરવું, ૭. સ્ત્રીસંભોગ કરવો, ૮. તંબોળ ખાવું, ૯. થુંકવું, ૧૦. જુગાર રમવું, ૧૧. જુ-માંકડ જોવા-વિણવા, ૧૨. વિકથા કરવી, ૧૩. પલાંઠી વાળીને બેસવું, ૧૪. જુદા જુદા પગ લાંબા કરીને બેસવું, ૧૫. પરસ્પર વિવાદ કરવો, (બડાઈ) કરવી, ૧૬. કોઈની હાંસી (મશ્કરી) કરવી, ૧૭. કોઈ પર ઈર્ષા કરવી, ૧૮. સિંહાસન પાટ, બાજોઠ વિગેરે ઉંચા આસન ઉપર બેસવું, ૧૯. કેશ શરીરની વિભૂષા (શોભા) કરવી.
૨૦. છત્ર ધારવું, ૨૧. તલવાર રાખવી, રર. મુગટ રાખવો, ૨૩. ચામર ધરાવવા, ૨૪. ઘરણું નાખવું (કોઈની પાસે માંગતા હોઈએ તેને દેરાસરમાં પકડવો.), ૨૫. સ્ત્રીઓની સાથે માત્ર વચનથી) કામવિકાર તથા હાસ્યવિનોદ કરવાં, ૨૬. કોઈપણ જાતિની ક્રીડા કરવી (પાના, ગંજીફો વિગેરે રમવા), ૨૭. મુખકોશ બાંધ્યા વિના પૂજા કરવી, ૨૮. મલિન વચ્ચે કે શરીરે પૂજા કરવી, ૨૯. ભગવંતની પૂજા વખતે પણ ચિત્તને ચપળ રાખવું, ૩૦. દેરામાં પ્રવેશ વખતે સચિત વસ્તુને દૂર છોડે નહીં, ૩૧. અચિત્ત પદાર્થ શોભા કરી હોય તેને દૂર મૂકવા (નિરંતર ન પહેરવાના દાગીના ઉતારી નાખવા). - ૩૨. એકસાટિક (અખંડ વસ્ત્ર)નું ઉત્તરાયણ કર્યા વિના દેરામાં જવું, ૩૩. પ્રભુની પ્રતિમા દીઠે થકે પણ બે હાથે ન જોડવા, ૩૪. છતી શક્તિએ પ્રભુની પૂજા ન કરે, ૩૫. પ્રભુને ચઢાવવા યોગ્ય ન હોય એવા પદાર્થ ચડાવવા, ૩૬. પૂજા કરવા છતાં અનાદરપણું રાખવું, ભક્તિબહુમાન ન રાખવાં, ૩૭. ભગવંતની નિંદા કરનાર પુરુષોને અટકાવે નહીં, ૩૮. દેવદ્રવ્યનો વિનાશ થતો દેખી ઉવેખે, ૩૯. છતી શક્તિએ દેરે જતાં વાહનમાં બેસે, ૪૦. દેરામાં વડેરાથી પહેલાં ચૈત્યવંદન કે પૂજા કરે. જિન ભવનમાં રહેતાં ઉપરના એક પણ કારણને સેવે તો મધ્યમ આશાતના થાય છે. તે વર્જવી.
જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના ૧. ખેલ-નાસિકાનું લીંટ નાંખે, ૨. જુગાર, ગંજીફ, શેતરંજ, ચોપાટ વગેરેની રમત કરે, ૩. લડાઈ કરે, ૪. કળા તે ધનુષ વિગેરેની (કળા) શીખે, ૫. કોગળા કરે, ૬. તંબોળ ખાય, ૭. તંબોળનો કૂચો નાંખે, ૮. કોઈને ગાળ આપે, ૯. લઘુનીતિ-વડીનીતિ કરે, ૧૦. હાથ, પગ, મુખ, શરીર, ધુવે, ૧૧. કેશ સમારે, ૧૨. નખ ઉતારે, ૧૩. લોહી પાડે, ૧૪. સુખડી વિગેરે ખાય, ૧૫. ગુમડાં, ચાઠાં વગેરેની છાલ-ચામડી ઉખેડીને નાંખે, ૧૬. મુખમાંથી નીકળેલું પિત્ત નાંખે, ૧૭. ઉલટી કરે, ૧૮. દાંત પડી જાય તે પડવા દે, ૧૯. વિશ્રામ કરે (વિસામો લે), ૨૦. ગાય, ભેંસ, ઉંટ, ઘોડા, બકરાં, ઘેટાં વગેરે