________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૧૫
નામા નાટક કહે છે.) ૨. વાસંતી, લતા, પાલતાં પ્રવિભક્તિચિત્ર. (આવવું, જવું, પાછું જવું, હારબંધ થવું, સામસામા હારબંધ થવું, સ્વસ્તિકને આકારે બની જવું, પુષ્પમાન, સરાવસંપુટ, મત્સનું ઈડું, મગરમત્સનું ઈડું, જારમાર, પુષ્પશ્રેણિ, કમળપત્ર, સાગરતરંગ). ૩. ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, ચમરી, અષ્ટાપદ, કુંજર, વનલતા, પદ્મલતા, પ્રવિભક્તિચિત્ર નામા નાટક.
૪. એક તરફ વક્ર, બીજી તરફ ખડગ, એક તરફ ચક્રવાળ, દ્વિધા ચક્રવાળ, ચક્રાદ્ધ અક્રવાળ પ્રવિભક્તિચિત્ર નામા નાટક. ૫. ચંદ્રાકાર, સૂર્યાકાર, વલયાકાર, તારાકાર, હંસાકાર, મુક્તાકાર, હારાકાર, કનકાવળી, રત્નાવળી, અભિનયાત્મક આવલી પ્રવિભક્તિચિત્ર નામનું નાટક.
૬. ચંદ્ર ઊગવાના આકારનો દેખાવ, સૂર્ય ઊગવાના આકારનો દેખાવ તે ચંદ્ર સૂર્યોદય પ્રવિભક્તિચિત્ર નામા નાટક, ૭, ચંદ્રના અને સૂર્યના આગમનની રચના ને ગમનાગમન પ્રવિભક્તિ નામનું નાટક. ૮. ચંદ્ર સૂર્ય અવતરણ પ્રવિભક્તિચિત્ર નામા નાટક. ૯. ચંદ્ર અને સૂર્યના અસ્તના આકારના દેખાવરૂપ પ્રવિભક્તિચિત્ર નામા નાટક. ૧૦. ચંદ્ર, સૂર્ય, નાગ, યક્ષ, ભૂત, રાક્ષસ, મહોરગ, ગાંધર્વ, મંડળાકાર પ્રવિભક્તિચિત્ર નામા નાટક.
૧૧. વૃષભ-સિંહનાં લલિત, ગજ-અશ્વનાં વિલસિત, મદોન્મત્ત હાથી-ઘોડાનાં વિલસિત, મદોન્મત્ત હાથી-ઘોડાના વિલંબિત, રૂપ દુત વિલંબિત પ્રવિભક્તિચિત્ર. ૧૨. સાગર નાગર પ્રવિભક્તિચિત્ર. ૧૩ નંદા ચંપા પ્રવિભક્તિચિત્ર. ૧૪. મત્સાંડક, મકરાંડક, જારમાર પ્રવિભક્તિચિત્ર.
૧૫. ક ખ ગ ઘ ડ પ્રવિભક્તિચિત્ર. ૧૬. ચ છ જ ઝ ઝ પ્રવિભક્તિચિત્ર. ૧૭. ટ ઠ ડ ઢ ણ, પ્રવિભક્તિચિત્ર, ૧૮. ત થ દ ધ ન પ્રવિભક્તિચિત્ર, ૧૯. પ ફ બ ભ મ પ્રવિભક્તિચિત્ર. ૨૦. અશોક, આમ્ર, જંબુ, કોસંબ, પલ્લવ પ્રવિભક્તિચિત્ર, ૨૧. પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, આગ્રલતા, વનલતા, અતિમુક્તલતા, શ્યામલતા પ્રવિભક્તિચિત્ર, રર. દ્વત પ્રવિભક્તિચિત્ર, ૨૩. વિલંબિત પ્રવિભક્તિચિત્ર, ૨૪. કુતવિલંબિત પ્રવિભક્તિચિત્ર, ૨૫. અંચિત પ્રવિભક્તિચિત્ર, ૨૬. રિભિત પ્રવિભક્તિચિત્ર, ર૭. અંચિત રિભિત પ્રવિભક્તિચિત્ર.
૨૮. આરભટ પ્રવિભક્તિચિત્ર, ર૯. ભશોળ પ્રવિભક્તિચિત્ર, ૩૦. આરભટ ભશોળ પ્રવિભક્તિચિત્ર, ૩૧. ઉત્પાત, નિપાત, પવૃત્ત, સંકુચિત પ્રસારિત, રેચક, વંચિત, ભ્રાંત, સંભ્રાંત પ્રવિભક્તિચિત્ર, ૩ર. તીર્થકરાદિ મહાપુરુષ ચારિત્રાભિનય નિબદ્ધ પ્રવિભક્તિચિત્ર, એ પ્રકારે બત્રીસબદ્ધ નાટકનાં નામ જાણવાં. એ પ્રમામણે રાયપૂસણીય સૂત્રમાં છે. ઋદ્ધિવંત હોય તે ઉપર બતાવેલી રીતિ પ્રમાણે પોતાના આડંબર સહિત દેરાસરે દર્શન કરવા જાય.
સામાન્ય પુરુષોને દેરાસરે જવાનો વિધિ સામાન્ય સંપદાવાળા પુરુષો ઉદ્ધતાઈને ત્યજી લોકો હાંસી ન કરે એવા પોતાના કુળાચારને કે પોતાની સંપદાને અનુસરતા વેષ(વસ્ત્ર-આભૂષણ)નો આડંબર કરીને પોતા ભાઈ, મિત્ર, પુત્ર, સ્વજન સમુદાયને સાથે લઈ દેરાસર દર્શન કંરવા જાય. '