SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ગુજરાતી ભાવાનુવાદ કોઈ પુરુષ પૂરથી (=વનસ્પતિ વિશેષથી) ભરેલી નળીના અથવા રૂથી ભરેલી નળીના તપેલા ( લેાઢાના) સળિયાથી નાશ કરે, તેવી રીતે મથુન સેવનાર જીવ' અસંખ્યાતા જીવાના નાશ થાય તેવા અસયમ કરે છે.૧ ૪. આવા આગમવચનથી શીલના ભંગમાં પહેલી જીવહિંસા થાય છે, અર્થાત્ શીલભંગ કરનારે આ રીતે પહેલાં જ પ્રાણાતિપાતવિરમણવ્રતની વિરાધના કરી. [૨૩] ખીજા–ત્રીજા વ્રતના ભંગ કેવી રીતે થાય છે તે જણાવે છેઃ नो कामीण सचं, पसिद्धमेयं जणस्स सयलस्स । तित्थयरसामिपमुद्दा - दत्तंपि हु तत्थ खलु हुज्ज ||२४|| ગાથાથ :– કામીઓને સત્ય હાતું નથી એ સકલ લેાકમાં પ્રસિદ્ધ છે. શીલભંગમાં તીથ કર અદત્ત અને સ્વામી–અદત્ત વગેરે અદત્ત પણ થાય. ટીકા :- કામીજીવામાં = વિષયલાલસાથી અસ્વસ્થ બનેલા જીવામાં કામી જીવામાં સત્યવાદીપણું સંભવતું નથી એ બીના સકલ લેાકમાં પ્રસિદ્ધ છે. કહ્યુ છે કે—વણિક, વેશ્યા, ચાર, જુગારી, પરદારાગામી, દ્વારપાલ અને કપટી આ સાત પુરુષા અસત્યના મદિર હૈાય છે. ’ અહીં કાઈને પ્રશ્ન થાય કે–પિતા વગેરેની અનુજ્ઞાથી પરણેલી પેાતાની પત્નીઓની સાથે જ મૈથુન સેવવાના આગ્રહવાળાને પણ ત્રીજા વ્રતના ભંગ કેવી રીતે થાય ? આ પ્રશ્નના સમાધાન માટે ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધમાં જણાવે છે કે– તીથંકરઅદત્ત, સ્વામી અદત્ત વગેરે અદત્ત ( = ચારી ) પણ થાય. તીથ કરાએ મેાક્ષરૂપ લ મેળવવા માટે સન કરનારાઓને મૈથુનના સર્વથા નિષેધ કરી હાવાથી સ્વસ્રી સાથે મૈથુન સેવનારને પણ તીથંકરઅદ્રુત્ત દોષ લાગે. સ્વામી એટલે રાજા. રાજએ પણ આ કા કરવાની અનુજ્ઞા આપી ન હેાવાથી આમાં સ્વામીઅદત્ત દોષ લાગે. અહીં ગાથામાં આવેલા આદિ (=પ્રમુખ) શબ્દથી જીવઅદત્ત અને ગુરુઅદત્ત જાણવું. (સ્રીની ચેનિમાં રહેલા જીવાએ મને હણ્ણા એવી અનુજ્ઞા આપી ન હેાવાથી જીવઅદત્ત દોષ લાગે. ગુરુએ પણ આ કાર્ય માટે અનુજ્ઞા આપી ન હેાવાથી ગુરુઅક્રત્ત દોષ લાગે.) આગમમાં કહ્યું છે કે–સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકરઅદત્ત અને ગુરુઅદત્ત એમ ચાર પ્રકારે અદત્તાદાન (=ચારી) છે એમ ગીતાર્થો કહે છે.” આ પ્રમાણે શીલભંગમાં ત્રીજા વ્રતના ભંગ જાણવા. [૨૪] ૧. પુરુષ-સ્ત્રીના મૈથુનથી સ્ત્રીની યોનિમાં અસંખ્ય સમૂ ́િમ પચે દ્રિય મનુષ્યા ઉત્પન્ન થાય છે, તેમનું આયુષ્ય અંતમુ દૂત જેટલું હાય છે. અંત બાદ એ બધા જીવા મૃત્યુ પામે છે. ( સભાષસપ્તતિ ગાથા-૬૩)
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy