SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મધ્યગ્રંથ : ભાગ-૪ ૧૮૩ પણ છે અને હજૂર ! સહુથી ડાહ્યો એ છે જે સમય-પ્રસંગને અનુરૂપ સુંદર ભાષણ કરી શકે છે.' આ સાંભળી શહેનશાહ ઘણો ખુશ થયો. લઘુક સાથે તેને ઘનિષ્ટ મિત્રતા બંધાઈ. આ દષ્ટાંત વિષયને અનુરૂપ હોઈ અત્રે આલેખ્યું છે. અર્થાત્ આચારના પ્રહરી સાધુ પુરુષોએ જ્ઞાનાચારનું પાલન કરવું અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસારે સર્વ ક્રિયાઓ યોગ્ય કાળે જ કરવી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસાર અસ્વાધ્યાયનું વર્ણન સાંભળી સ્વાધ્યાયકાળમાં જ શ્રુતનો અનુયોગ આચરવો-આદરવો. O ૨૫૮ બીજો આચાર-વિનયાચાર श्रुतस्याशातना त्याज्या, तद्विनयः श्रुतात्मकः । शुश्रूषादिक्रियाकाले, तत् कुर्यात् ज्ञानिनामपि ॥१॥ અર્થ - શ્રુતજ્ઞાનની આશાતના દૂરથી વર્જવી. કેમ કે તેનો વિનય એ શ્રુતસ્વરૂપ છે. માટે શુશ્રુષાદિ ક્રિયા વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. દ્રવ્ય અને ભાવભેદે શ્રુત બે પ્રકારના છે. પુસ્તક-અક્ષર આદિ દ્રવ્યશ્રુત કહેવાય. એનો અનાદર કરવો, પગ લગાડવા, ઘૂંકાદિ લગાડવા આ બધી દ્રવ્યૠતની આશાતના સમજવી અને પરમાત્માએ કહેલા પદ-પદાર્થોમાં સ્વયંની દુર્બુદ્ધિથી વિપરીત અર્થ કરવો તે ભાવકૃતની આશાતના જાણવી. પ્રતિક્રમણ-આવશ્યકમાં તેત્રીશ આશાતનાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે “સુમસ માસાયUTIસુવિયા સાયપાણ” શ્રુતની આશાતના કૃતના અધિષ્ઠાયકદેવની આશાતના ઈત્યાદિ, અહીં કોઈ એમ વિચારે કે મૃતદેવતા જેવી કોઈ વસ્તુ જ નથી તો પછી તેની આશાતના ક્યાંથી થાય?” તો તેના સમાધાનમાં સમજવું કે જિનેન્દ્રદેવનાં ગમોના અધિષ્ઠાયક હોય છે જ, અધિષ્ઠાતા વિનાનાં આગમ હોતાં જ નથી. શ્રુતદેવતા પણ ઘણા ઉપયોગી છે. કારણ કે તેના આલંબનથી નિર્મળ બુદ્ધિ અને પ્રશસ્ત અધ્યવસાયવાળા જીવો કર્મક્ષય કરી શક્યા છે. શ્રત-આગમમાં કહેલા વચનનું ઉલ્લંઘન કરવું તે ભાવશ્રુતની આશાતના છે. શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યું છે કે “મંત્રાદિ વિદ્યા શાસનનું કોઈ મહાન કાર્ય આવી પડ્યું હોય તો જ ઉપયોગમાં લેવાય. શાસનકાર્ય સિવાય તેનો ઉપયોગ થાય નહીં. પ્રમાદાદિ કારણે કે સ્વયંનું મહત્ત્વ દેખાડવા કે આશ્ચર્ય-કૌતુક ઉપજાવવા લબ્ધિ કે વિદ્યાનો ઉપયોગ કરનાર શ્રુતની આશાતના કરે છે અને આર્ય સ્થૂલભદ્ર મુનિની જેમ પોતાનો વિકાસ અટકાવે ને હાનિ પામે છે.
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy