SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ અનેકાન્તવાદની શકીએ છ–અજીવ દ્રવ્યની નિત્યા–નિત્યતા, ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય, દ્રવ્ય-પર્યાયને ભેદભેદ, વગેરે એવી તત્વ વ્યવસ્થા બતાવી, કે જે વિધિ-નિષેધ તથા આચારને સંગત થાય તેવી છે. આ ચિન્તનથી વિશિષ્ટ શ્રદ્ધા યાને સમ્યગ્દર્શનની સંગીન દઢતા-નિર્મળતા થાય છે. - આ દેશે પ્રકારના ચિંતનમાં જયાં મનની સ્થિરતા થાય છે કે એ તરત ધર્મધ્યાન સ્વરૂપ બને છે. સંસ્થાનવિય ધર્મધ્યાનમાં પૂર્વે કહ્યા મુજબ વિશ્વના સમસ્ત પદાર્થો વિષય બને છે. આ પદાર્થોનું ચિંતન સર્વનયસમૂહમય રીતે કરવાનું છે, પરંતુ એકાન્ત એક નયની દૃષ્ટિથી નહિ. કેમકે એમાં તો બીજા નયની દષ્ટિથી ઘટી શક્તા ધર્મને અપલાપ થાય. દા. ત. એકલા દ્રવ્યાસ્તિક નયથી આત્માને વિચાર કરે તે આત્મા નિત્ય જ લાગે. પછી બીજા પર્યાયાસ્તિક નયની દૃષ્ટિએ આત્મામાં ઘટી શકતા અનિત્યત્વ ધર્મને ઈન્કાર કરવાનું થાય. ન્યાયદર્શન સાંખ્યદર્શન વગેરે એવું કરે છે. એ આત્મા પરમાણુ વગેરે માને, પરંતુ એકાન્ત નિત્ય માને. આ માન્ય શું કામને? એણે કલ્પલ એકાંતનિત્ય આત્મા કે પરમાણુ જેવી વસ્તુ જ જગતમાં નથી. માટે જ સન્મતિશાસ્ત્રની ટીકામાં વિસ્તારથી યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે કે એને કહેલ એકે એક દ્રવ્ય ગુણ કર્મ વગેરે પદાર્થ બેટા છે. ખરી રીતે વસ્તુમાત્રમાં બે અંશ છે, એક દ્રવ્યાંશ, બીજે પર્યાયાંશ. દ્રવ્યાંશ એટલે ધ્રુવ અંશ, અને પર્યાયશ એટલે અધુવ અનિત્ય ઉત્પત્તિ-વિનાશશાલી અંશ. આત્મામાં આત્માપણું એ ધ્રુવ અંશ છે, અને
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy