________________
પ્રસ્તાવના
આ ઉપદેશ સપ્તતિકા નવ્ય તરીકે ઓળખાય છે. પ્રથમ એજ નામને ગ્રંથ સંવત ૧૫૦૩ માં શ્રી સોમધર્મગણિએ રચેલો છે. તે સુમારે ત્રણ હજાર લેક પ્રમાણે છે. આ ગ્રંથ તેજ નામને ત્યારપછી એટલે સંવત ૧૫૪૭ માં શ્રી ક્ષેમરાજ મુનિએ રચેલો છે અને સુમારે આઠ હજાર લોક પ્રમાણ છે. બંને ગ્રંથમાં વિષયે અને કથાએ તદન જુદી છે. આ ગ્રંથમાં દરેક પ્રસંગ ઉપર કથાઓ આપેલી છે. એટલે સુમારે ૧૦૦ ઉપરાંત કથાઓ છે. ક્યા વિષય ઉપર કેની કથા છે તે દરેક ગાથાને અંતે બતાવવામાં આવ્યું છે. આ ભાષાંતર કથા શિવાય બાકીના ભાગનું કરવામાં આવ્યું છે. આખા ગ્રંથનું ભાષાંતર બહુ વિસ્તિર્ણ થાય તેવું છે. ઉદાર દિલના કેઈ ગૃહસ્થની તેવી ઈચ્છા થશે તે તે પણ બની આવશે. " આ ગ્રંથનું મૂળ માગધી ભાષામાં છે અને કથાઓ સંસ્કૃત તેમજ પ્રાકૃતભાષામાં, ગદ્યમાં તેમજ પદ્યમાં ઘણી વિદ્વત્તા ભરેલી લખી છે. તે આ ગ્રંથ ટીકા સાથે અમે ત્રણ વર્ષ અગાઉ છપાવીને બેહાર પાડેલ છે અને લઘુ સપ્તતિકા શ્રી આત્માનંદ જેન સભા તરફથી ટીકા સાથે છપાયેલ છે.
જેનશાસ્ત્રમાં આપેલા ચાર અનુગ પૈકી આ ગ્રંથમાં ચરણ કરણાનુગ અને ધર્મકથાનુગ–એ બે અનુગ આપેલા છે. તેમાં થી ધર્મકથાનુગ બાકી રાખીને માત્ર ચરકરણનુયોગને જ આમાં સમાવેશ કરેલ છે. આ ગ્રંથ નામ પ્રમાણેજ ગુણવાળે છે. તેમાં અનેક વિષયને ઉદ્દેશીને ઉપદેશ આપેલો છે. તેમાં આપેલા વિષયે અનુકમણિકારૂપે પૃથક્ પૃથક્ દર્શાવતાં વિસ્તાર થાય તેવું હોવાથી અનુક્રમ