SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરા ભાવના તપના ૧૨ ભેદ. બાહ તપ ૧ અનશન–એક બે દિવસને માટે કે હંમેશને માટે ખાનપાનને ત્યાગ કરવો, તે અનશન તપ–ઉપવાસ અથવા સંથારો. ઉણાદરી–પોતાના ચાલુ ખોરાકમાંથી થોડું ઓછું ખાવું, તે ઉણોદરી તપ બે પ્રકારે થાય છે. દ્રવ્યથી અને ભાવથી. ખાનપાનમાં તેમ જ પહેરવા ઓઢવાના દ્રવ્યમાં ન્યૂનતા કરવી તે દ્રવ્ય ઉણોદરી અને ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષા ને કમી કરવા તે ભાવ ઉદરી. ૩ વૃત્તિસંક્ષેપ– ઈદ્રિય અને મનની વૃત્તિઓને સંક્ષેપવી અથવા અભિગ્રહાદિ ધારણ કરવાં તે વૃત્તિસંક્ષેપ તપ. જ રસપરિત્યાગ–ધી, દૂધ, દહિ, સાકર, ખાંડ, ગોળ વગેરે રસો માંથી અમુક રસને ત્યાગ કર, અરસ નીરસ આહાર કર, આયંબિલ વગેરે તપ કરવું, તે રસપરિત્યાગ તપ. ૫ કાયકલેશ–દંડાસન, લકુટાસન, ઉકુટુકાસન, વીરાસન વગેરે આસને અમુક વખત સ્થિર થવું, તે કાયમલેશ તા. ૬ પડિલેહણયા-ઈદ્રિયો અને મનને નિગ્રહ કરવ, કષાયોને રોકવા કે નિષ્ફળ કરવા, અશુભ મન વચન અને કાયાની પ્રવૃત્તિને અટકાવવી, અને એકાંત શાંત સ્થાનમાં નિવાસ કરવો તે પસિંહણયા તપ. આભ્યન્તર ત૫, ૧ પ્રાયછિત્ત–પિતાના ચારિત્રની ખામીઓ-દૂષણે શોધી ગુરૂની આગળ પ્રકાશી તેને માટે પશ્ચાત્તાપ કરવો અથવા ગુરૂ જે દંડ તરીકે ત૫ બતાવે તે કરવું, તે પ્રાયછિત્ત ત૫. ૨ વિનય–દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ બહુમાન કરવું, તન મનથી અને ખરી લાગણીથી તેની સેવા કરવી, તે વિનય ત૫.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy