SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રવ ભાવના. આશ્રવને ચેાથે ભેદ કષાય. અર્થ-ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો કહેવાય છે. આ ચાર કષાયો હેટામાં હેટા લુંટારા છે. પેલા ધનને હરનારા લુંટારા તો રાત્રે જ ચેરી કરે છે, તે પણ જ્યાં માણસની આવજા ન હોય તેવા જંગલમાં કે શૂન્ય પ્રદેશમાં, તેમાં પણ પોલીસને સ્વાર કે ભેમીઓ માણસ સહાયક ન હોય તો તે લુંટારા શ્રીમતને લુટે છે, તે પણ નિર્ભયપણે નહિ કિડુ પકડાઈશું તો માર્યા જઈશું એવી બીક રાખે છે, ત્યારે કષાયરૂપી લુંટારા તે રાત્રે કે દિવસે જંગલમાં કે વસતિમાં નિર્ભયપણે તીવ્ર રસવાળાં અશુભ કર્મરૂપ શસ્ત્રો ફેંકીને આત્માની જ્ઞાનસંપત્તિ, ચારિત્ર્યસંપત્તિને લુંટવા કરે છે. હે ભદ્ર! આત્મસંપત્તિ બચાવવી હોય તે કષાય રૂપી લુંટારાઓથી સાવચેતપણે દૂર રહે. (૫૩) વિવેચન–આ કાવ્યમાં કષાયને લુંટારાની ઉપમા આપી તેની ભયંકરતા દર્શાવી તેનાથી બચવાની સૂચના કરી છે. હેકવિદિત લુંટારા કરતાં આ આધ્યાત્મિક લુંટારા કષાયોમાં વિશેષતા એ છે કે તે સંપત્તિ લુંટવાનું અને સંપત્તિગુહને બગાડવાનું કામ કરે છે. પેલા લુંટારાઓ માત્ર ધનવાનના ઘરમાંથી ધન લુંટી ચાલ્યા જાય છે ત્યારે આ લુંટારાઓ આત્માની સંપત્તિને લુંટી ત્યાં જ નિવાસ કરે છે અને જ્ઞાનાવરણય આદિ આઠે કર્મની વર્ગને ત્યાં જમાવ કરી આત્મભૂમિને નિઃસવ નીરસ અને તુછ બનાવી દે છે, એટલું જ નહિ પણ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે છે, દુગ્ગતિ કૃપમાં પટકી દે છે. તદુकोहो य माणो य अणिग्गहिया । माया य लोभो य पवमाणा । चत्तारि ए ए कसिणा कसाया । सिंचंति मूलाई पुणभवस्स ॥ १ ॥ દશ. અ. ૮,
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy