SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના-રાત. આત્મામાં જન્મ-મૃત્યુને વ્યવહાર કેમ થાય છે? હે આત્મન ! તું કોઈથી ઉત્પન્ન થયે નથી, તેમ કોઈને ઉત્પન્ન કરનાર પણ નથી. હારી ઉત્પત્તિ નથી અને વિનાશ પણ નથી. તું તો નિય–સત-ચિત અને આનંદ રૂપે સર્વત્ર પ્રસિદ્ધ છે. ત્યારે આ જીવ અમુક ગતિમાં ઉત્પન્ન થયો, આ જીવ મરી ગયે, એવો વ્યવહાર કેમ થાય છે? એમ શંકા થાય છે તેને ઉત્તર એ છે કે રાગદ્વેષરૂપ બીજકથી ઉત્પન્ન થતાં કમ અંકુરથી પ્રાપ્ત થએલ શરીરને સંગ જે આત્માને લાગે છે તેથી જન્મ-મૃત્યુને વ્યવહાર આત્મામાં થાય છે. ખરી રીતે તો તે ધર્મ શરીરના જ છે પણ સંગને લીધે એકના ધર્મો બીજામાં ઉપચરિત થાય છે. (૩) વિવેચન–ઉપરનાં ત્રણ કાવ્યોમાં બહિરાત્મભાવમાંથી અંતરાત્મભાવમાં આવવાને અંતરાત્મભાવની પિછાન કરાવી છે. બાહરુ અંતર્ અને પરમભેદથી આત્માના ત્રણ પ્રકાર છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જ્ઞાનાર્ણવમાં તેનાં લક્ષણે આ પ્રમાણે બતાવ્યાં છે -- आत्मबुद्धिः शरीरादौ । यस्य स्यादात्मविभ्रमात् ॥ बहिरात्मा स विज्ञेयो । मोहनिद्रास्तचेतनः ॥ १ ॥ અર્થ–જે માણસને શરીર, કુટુંબીઓ, ઘરબાર, નોકરચાકર, ઘોડા, બળદ, ગાય, ભેંસ વગેરે ચીજોમાં ભ્રમથી આત્મબુદ્ધિ-તાદામ્ય ભાન થાય, મેહની નિદ્રામાં ચિતન્યને વિલય થઈ જાય, અનાત્મ વસ્તુઓને જ આત્મરૂપ માની મારું મારું કરી રહે, તે બહિરાભા જાણવો. बहिर्भावानतिक्रम्य । यस्यात्मन्यात्मनिश्चयः ॥ રોડનરમા મસ્તક્ષે–વેંઝમદાત્તમાઃ ૨ .
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy