________________
[अथ सदृष्टिद्वात्रिंशिका प्रारभ्यते ।
अनन्तरमवेद्यसंवेद्यपदजयात् कुतर्कनिवृत्तिर्भवति, सैव च विधेयेत्युक्तम्, अथ तत्फलीभूताः सदृष्टीविवेचयन्नाह
આ પૂર્વે અવેદ્યસંવેદ્યપદને જીતવાથી કુતર્કગ્રહની નિવૃત્તિ થાય છે - એ જણાવ્યું અને તેથી કુતર્કગ્રહની નિવૃત્તિ જ કરવી જોઈએ એમ જણાવ્યું. હવે તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થનારી સદ્દષ્ટિઓનું વર્ણન કરાય છે–
प्रत्याहारः स्थिरायां स्याद्, दर्शनं नित्यमभ्रमम् ।
तथा निरतिचारायां, सूक्ष्मबोधसमन्वितम् ॥२४-१॥ प्रत्याहार इति-स्थिरायां दृष्टौ प्रत्याहारः स्याद् वक्ष्यमाणलक्षणः । तथा निरतिचारायां दर्शनं नित्यमप्रतिपाति, सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुत्कोपाद्यनवबोधकल्पमपि भवति, तथातिचारभावाद्, रलप्रभायामिव धूल्यादेरुपद्रवः । अभ्रमं भ्रमरहितं । तथा सूक्ष्मबोधेन समन्वितम् ।।२४-१।।
સ્થિરાદૃષ્ટિમાં પ્રત્યાહાર પ્રાપ્ત થાય છે. નિરતિચાર સ્થિરાદષ્ટિમાં અપ્રતિપાતી દર્શન હોય છે અને તે ભ્રમથી રહિત તેમ જ સૂક્ષ્મ બોધથી યુક્ત હોય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે પાંચમી સ્થિરાદષ્ટિમાં યોગનાં આઠ અંગમાંના પાંચમા પ્રત્યાહાર નામના અંગની પ્રાપ્તિ થાય છે, જેનું સ્વરૂપ હવે પછીના શ્લોકથી જણાવાય છે.
નિરતિચાર આ સ્થિરાદષ્ટિમાં દર્શન(બોધ) નિત્ય અર્થાતુ અપ્રતિપાતી હોય છે. સાતિચાર આ દૃષ્ટિમાં તેવા પ્રકારના અતિચારના સદ્ભાવના કારણે એ બોધ અનવબોધ જેવો પણ હોય છે. આંખના પડળના ઉપદ્રવ તકલીફ) જેમના નાશ પામ્યા છે; એવા લોકોનો એ ઉપદ્રવ ફરી પાછો પ્રકોપ પામે તો તે લોકોની નજરમાં જેમ ફરક પડે છે; તેમ અહીં પણ અતિચાર(શંકા, કાંક્ષા, વિતિગિચ્છાદિ)ના કારણે બોધ, અનવબોધ જેવો બને છે. રત્નની પ્રજાને જેમ ધૂળનો ઉપદ્રવ લાગવાથી તે મલિન થાય છે, તેમ અહીં અતિચારના કારણે બોધમાં માલિન્ક આવે છે. આ બોધ-દર્શન ભ્રમ-ભ્રાંતિરહિત હોય છે. કારણ કે ખેદ ઉગ ક્ષેપ વગેરે યોગબાધક દોષોમાંથી ભ્રાંતિ નામનો પાંચમો દોષ આ દૃષ્ટિમાં હોતો નથી અને આ દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થતી હોવાથી સૂક્ષ્મબોધ પણ પ્રાપ્ત થાય છે. તેથી આ દૃષ્ટિમાં સૂક્ષ્મબોધથી યુક્ત દર્શન હોય છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું. ર૪-૧૫ આ દૃષ્ટિમાં પ્રાપ્ત એવા પ્રત્યાહારનું નિરૂપણ કરાય છે–
विषयासम्प्रयोगेऽन्तःस्वरूपानुकृतिः किल । प्रत्याहारो हृषीकाणामेतदायत्तताफलः ॥२४-२॥
એક પરિશીલન