SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખના હેતુભૂત પાપનો ધ્વંસ શક્ય હોવાથી સાક્ષાત દુઃખનો અન્વયન કરતાં તેના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને ધ્વસમાં દુઃખનો અન્વય કરવામાં આવે છે. યદ્યપિ આ રીતે દુઃખનો અન્વય, સ્વહેતુનિઇપ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી કરવામાં આવે તો અન્વયિતાવચ્છેદક સંબંધ ગુરુભૂત બને છે; તેથી તે સંબંધથી અન્વય કરવાનું ઉચિત નથી. પરંતુ તેથી રૂતુ વા ઈત્યાદિ ગ્રંથથી કલ્પાંતરનું અનુસરણ કરાય છે. એનો આશય એ છે કે કુવં મે મા મૂક ઇત્યાદિ સ્થળે પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદ્દેશ દુઃખદ્વેષનો હોવાથી તેનો જ ઉલ્લેખ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ દુઃખનો અન્વય કરવામાં સંબંધનું ગૌરવ નહિ નડે. “દુઃખના કારણભૂત કર્મોના નાશ સ્વરૂપ મોક્ષને માનવાથી મોક્ષમાં મુખ્યપ્રયોજન– નહિ મનાય. કારણ કે દુઃખનાશમાં જ પરમપ્રયોજન– મનાશે. મા મૂઃ કુન્... ઇત્યાદિ સ્થળે દુઃખદ્વેષનો જ ઉલ્લેખ છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મુખ્યપ્રયોજન દુઃખવિરહની ઇચ્છાનો વિષય, તેના સાધનભૂત સકળ કર્મનો ધ્વંસ છે. તેથી તે પણ મુખ્યપ્રયોજના છે.... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ૩૧-૧૨ ઉપર જણાવ્યા મુજબ દુઃખધ્વંસના સાધન તરીકે કર્મલયસ્વરૂપ મુક્તિમાં મુખ્યપ્રયોજન– હોવા છતાં, તેમાં સ્વતઃ પુમર્થતાની અનુપપત્તિ થાય છે – આ શંકાનું સમાધાન કરાય છે स्वतोऽपुमर्थताप्येवमिति चेत् कर्मणामपि । શિવજ્યા વેનુષ્ય તત્વ, વિા વિંદ નું વાધ્યતામ્ ? //રૂ9-૨રૂા स्वत इति-एवमपि स्वतोऽपुमर्थता निरुपधिकेच्छाविषयत्वेन सुखदुःखहान्यन्यतरस्यैव स्वतः पुमर्थत्वादिति चेत् कर्मणामपि शक्त्या चेन्मुख्यदुःखत्वं तदा स्याद्वादे किं नु बाध्यताम् ? दुःखहेतोरपि कथञ्चिदुःखत्वाद्, दुःखक्षयत्वेन रूपेण कर्मक्षयस्य त्वन्नीत्यापि मुख्यप्रयोजनत्वानपायाद् रूपान्तरेण તત્ત્વસ્થ વાકયોનર્જત્વાન્ ||રૂ9-૨૩/ કર્મક્ષયમાં ઉપર જણાવ્યા મુજબ મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થાય “તોપણ સ્વતઃ પુમર્થતા તેમાં નહિ આવે - આ પ્રમાણે કહેવામાં આવે તો સ્યાદ્વાદમતમાં, કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્ય દુઃખત્વ માની લેવામાં કોણ બાધક છે? અર્થાત કોઈ નહિ.- આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે, આ પૂર્વે જણાવ્યા મુજબ દુઃખધ્વંસની ઇચ્છાનો વિષય કર્મક્ષયસ્વરૂપ મોક્ષ છે. તેથી મુખ્યપ્રયોજનવિષયક (દુઃખવિરહવિષયક) ઇચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં મુખ્યપ્રયોજન– મનાય તો પણ તેમાં સ્વતઃ પુમર્થતા નથી. કારણ કે ઉપાધિરહિત ઇચ્છાના વિષયમાં અર્થાત્ અન્યવિષયક ઇચ્છાને અનલીન ઇચ્છાના વિષયમાં પુમર્થતા સ્વતઃ મનાય છે. અન્યત્ર પરતઃ પુમર્થતા મનાય છે. સુખમાં અથવા દુઃખહાનિમાં જ સ્વતઃ પુમર્થતા મનાય છે. દુઃખવિરહની ઇચ્છાને આધીન એવી કર્મધ્વંસની ઈચ્છાનો વિષય ૨૪૬ મુક્તિ બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy