SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગ કર્યા વિના ચાલે એવું નથી. સ્વજન હોય કે પરજન હોય, ઉપકારી હોય કે અનુપકારી હોય અને પરિચિત હોય કે અપરિચિત હોય; કોઈ પણ આત્માના સુખને જોઈને ઈર્ષ્યા ન કરતાં આ બધાનું સુખિત્વ (સુખી બરાબર છે – એમ મનમાં વિચારવું જોઈએ. સુખીની ઈર્ષ્યા કરનારા આવી વિચારણા કરતા ન હોવાથી તેમને પરિણતિશુદ્ધ મૈત્રીભાવની પ્રાપ્તિ થતી નથી. દુઃખિત જનોની ઉપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ દુઃખી જનોને જોઇને “કઈ રીતે આ જીવો દુઃખથી મુક્ત થાય' આવી કૃપાનો ત્યાગ કરવો નહિ. કરુણાભાવનાને વિશુદ્ધ બનાવવા માટે બીજાને દુઃખી જોઇને તેના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરવાનું આવશ્યક છે. સામર્થ્ય હોવા છતાં બીજાના દુઃખનો પ્રતીકાર કરવાનો ભાવ ન હોય તો આત્માના પરિણામ નિર્ધ્વસ બને છે. એ પરિણામ અધ્યાત્મપ્રાપ્તિનો અવરોધ કરે છે. આમ પણ, વ્યવહારમાં પણ એ પરિણામ તદ્દન નીચ કક્ષાનો મનાય છે. છતી શક્તિએ બીજાના દુઃખને દૂર કરવાની ભાવના ન હોય તો તે માણસને કોઈ સારો તો ન જ માને. એવું નિષ્ફર જીવન જીવનારને અધ્યાત્મભાવ પ્રાપ્ત ન થાય. આપણે આપણા દુઃખને દૂર કરવા શક્તિ ઉપરાંત પ્રયત્ન કરતા હોઇએ અને છતી શક્તિએ બીજાના દુઃખને દૂર કરવાની ઉપેક્ષા કરીએ – તે એક ભયંકર નિષ્ફરતા છે. અધ્યાત્મનો સ્વીકાર કરવામાં એ મોટો અવરોધ છે. તેથી અધ્યાત્મના સમાશ્રયણ માટે દુઃખિતની ઉપેક્ષા કરવાનું ત્યજવું જોઈએ – એ સમજી શકાય છે. પ્રાણીમાત્રના સુકૃતને જોઇને દ્વેષ કરવાનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ તે સુકૃતની અનુમોદના કરવા વડે હર્ષ ધારણ કરવાનો ત્યાગ કરવો ના જોઈએ. કોઈએ પણ સારું કામ કર્યું હોય ત્યારે મોટા ભાગે તે જોઈને આપણે દ્વેષ કરતા હોઇએ છીએ. “એમાં શું? કોઇને એવી અનુકૂળતા મળી હોય, શક્તિ હોય, સંયોગો હોય તો કરે. અમને એવી અનુકૂળતા મળે તો અમે પણ કરીએ ! એ કાંઈ મોટી વાત નથી...” ઇત્યાદિ રીતે બીજાના સુકૃતને જોઇને; આપણે જે દ્વેષ કરીએ છીએ તેનો ત્યાગ કરીને તે તે જીવના તે તે સુકૃતની અનુમોદના કરવા વડે હર્ષ ધરવો જોઇએ. એમ કરવાથી સુકૃત પ્રત્યેનો રાગ બલવત્તર બને છે. બીજાના સુકૃત પ્રત્યે દ્વેષ કરવાથી ખરેખર તો શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા સુકૃત પ્રત્યે આપણે દ્વેષ કરતા થઈએ છીએ. અધ્યાત્મના અર્થી જનો માટે તે ખૂબ જ અનુચિત હોવાથી શક્ય પ્રયત્ન તેનો ત્યાગ કરવાનું આવશ્યક છે. અન્યથા મુદિતાભાવનાને વિશુદ્ધ બનાવવાનું શક્ય નહિ બને. આવી જ રીતે ચોથી ઉપેક્ષાભાવનાને આત્મપરિણતિથી શુદ્ધ બનાવવા અધર્મીજનો પ્રત્યે રાગ કે દ્વેષનો ત્યાગ કરવો જોઇએ. પરંતુ ઉપેક્ષાનો ત્યાગ કરવો ના જોઇએ. સામાન્ય રીતે વિષયાદિપરવશ જીવોને અધર્મી જનો પ્રત્યે રાગ હોય છે. કારણ કે પોતાના સુખ વગેરેના પરિભોગની પ્રવૃત્તિની પ્રત્યે અધર્મી લોકો અનુકૂળતા કરી આપતા હોય છે. આપણને જયારે એવી અનુકૂળતા જોઇતી ન હોય ત્યારે અધર્મી જનો પ્રત્યે આપણને દ્વેષ થતો હોય છે. અંતે ૭૬ યોગભેદ બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy