________________
લક્ષણથી યુક્ત છે તેમ આત્મદ્રવ્ય પણ એ ત્રણ લક્ષણથી યુક્ત જ્ઞાનાદિના ઉપાદાનરૂપે સિદ્ધ થાય છે. તેમાં પર્યાયની અપેક્ષાએ અનિત્યત્વ અને દ્રવ્યની અપેક્ષાએ નિયત્વ છે. એક જ દ્રવ્યમાં નિત્યત્વ અને અનિત્યત્વ માનવામાં કોઈ વિરોધ નથી. “પરમાર્થથી જ્ઞાનમાં ભ્રાંતત્વ છે અને સંવ્યવહારની અપેક્ષાએ અભ્રાંતત્વ છે.” આવી માન્યતાવાળાને જેમ બ્રાંતત્વ અને અભ્રાંતત્વ માનવામાં કોઈ વિરોધ નથી; તેમ જ એક જ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ કપિ(વાંદરો)સંયોગ અને મૂળની અપેક્ષાએ કપિસંયોગનો અભાવ માનવામાં જેમ વિરોધ નથી તેમ મનુષ્યાદિની અપેક્ષાએ આત્મામાં અનિત્યત્વ અને આત્મત્વની અપેક્ષાએ નિત્યત્વ માનવામાં કોઈ જ વિરોધ નથી. આથી સમજી શકાશે કે દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. વસ્તુના વિશિષ્ટ સ્વરૂપની જ્યારે અપેક્ષા(વિવફા) ન હોય ત્યારે તે દ્રવ્ય તરીકે જણાય છે અને જ્યારે તેના વિશિષ્ટ સ્વરૂપની વિવેક્ષા હોય છે ત્યારે તે પર્યાયસ્વરૂપે જણાય છે. દા.ત. મૃદુ અને ઘટ વગેરે. અનલિવિશિષ્ટરૂ૫ દિવ્ય અને વિશિષ્ટઝ પર્યાય આ અનુક્રમે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ વર્ણવ્યું છે. ખૂબ જ ઓછા શબ્દોમાં સરળ રીતે વસ્તસ્વરૂપને માર્મિક શૈલીથી જણાવવાની ગ્રંથકાર પરમર્ષિની અદ્દભુત કળાનું અહીં દર્શન થાય છે.
આવી જ રીતે શરીર અને આત્માને ભેદભેદ છે. શરીર મૂર્ત(રૂપી) છે અને આત્મા અમૂર્ત છે. મૂર્તત્વ અને અમૂર્તત્વની અપેક્ષાએ શરીરથી આત્મા ભિન્ન છે. અર્થાત્ મૂર્તત્વ અને અમૂર્તત્વને લઇને તે બંન્નેમાં ભેદ છે. શરીરને કાંટા વગેરેનો સ્પર્શ થવાથી આત્માને વેદનાનો અનુભવ થાય છે. એની અપેક્ષાએ શરીર અને આત્મામાં અભેદ છે. આ વાતને જણાવતાં અન્યત્ર કહ્યું છે કે- “જીવ અને શરીરમાં ભેદભેદ છે. કારણ કે તેવો જ (ભેદભેદનો જ) ઉપલંભ થાય છે. મૂર્તિત્વ અને અમૂર્તત્વના કારણે ભેદ છે. શરીરના સ્પર્શે વેદના થાય છે; તેથી અભેદ છે.”
આ રીતે શરીર અને આત્મામાં ભેદભેદ માનવામાં ન આવે તો વાતાળો નષ્ટ અને વાહનો નાનાતિ આ પ્રતીતિ સંગત નહીં થાય. કારણ કે વાહિત શબ્દનો અર્થ બ્રાહ્મણનું શરીર કરીએ તો બ્રાહ્મણ જાણે છે. આ પ્રતીતિ શક્ય બનતી નથી અને વાહન શબ્દનો અર્થ બ્રાહ્મણનો આત્મા કરીએ તો “બ્રાહ્મણ નાશી ગયોઆ પ્રતીતિ સંગત થતી નથી. બંન્ને પ્રતીતિના આધારે નષ્ટ થવાની ક્રિયાના આશ્રય તરીકે બ્રાહ્મણનું શરીર અને જ્ઞાનના આશ્રય તરીકે બ્રાહ્મણનો આત્મા એ બંન્ને અર્થ વહિાન શબ્દથી વિવક્ષિત છે, જે શરીર અને આત્મા ભિન્નભિન્ન હોય તો જ શક્ય બને છે. આથી સમજી શકાશે કે બ્રાહ્મણનું શરીર અને આત્મા બંન્ને સર્વથા ભિન્ન હોય તો ઉપર જણાવ્યા મુજબની બંન્ને પ્રતીતિને સંગત કરવા બ્રાહ્મણત્વને વ્યાસજ્યવૃત્તિ માનવાનો પ્રસંગ આવશે. ઘટપટોભયત્વજેમ વ્યાસજયવૃત્તિ ધર્મ છે પરંતુ જાતિ નથી તેમ બ્રાહ્મણત્વ પણ શરીરાત્મોભયવૃત્તિ ધર્મ માનવો પડશે, તેને જાતિ નહીં મનાય. તેથી પ્રતીતિના અનુરોધથી શરીર અને આત્માને
એક પરિશીલન
૩૫