SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ | अथ सम्यग्दृष्टिद्वात्रिंशिका प्रारभ्यते । अपुनर्बन्धकोत्तरं सम्यग्दृष्टिर्भवतीति तत्स्वरूपमाह આ પૂર્વે ચૌદમી બત્રીશીમાં અપુનબંધક આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. એ આત્માઓ જ કાલાંતરે સમ્યગ્દષ્ટિ થાય છે. તેથી હવે તેમના સ્વરૂપનું વર્ણન કરાય છે– लक्ष्यते ग्रन्थिभेदेन, सम्यग्दृष्टिः स्वतन्त्रतः । शुश्रूषाधर्मरागाभ्यां, गुरुदेवादिपूजया ॥१५-१॥ लक्ष्यत इति-ग्रन्थिभेदेन अतितीव्ररागद्वेषपरिणामविदारणेन । स्वतन्त्रतः सिद्धान्तनीत्या । सम्यग्दृष्टि र्लक्ष्यते सम्यग्दर्शनपरिणामात्मनाऽप्रत्यक्षोऽप्यनुमीयते । शुश्रूषाधर्मरागाभ्यां तथा गुरुदेवादिपूजया त्रिभिरेतैर्लिङ्गः । यदाह-“शुश्रूषा धर्मरागश्च गुरुदेवादिपूजनम् । यथाशक्ति विनिर्दिष्टं लिङ्गमस्य મહાત્મfમ: II” fl9-. “શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા – આ ત્રણ લિંગો દ્વારા આગમની નીતિથી ગ્રંથિભેદના કારણે સમ્યગ્દષ્ટિ આત્મા જણાય છે.”- આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરવાથી આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આગમમાં જણાવ્યા મુજબ સમ્યગ્દર્શનના પરિણામવાળા આત્માનું પ્રત્યક્ષ થતું ન હોવા છતાં શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવની પૂજા આ ત્રણ લિંગો દ્વારા સમ્યગ્દષ્ટિ આત્માનું અનુમાન કરી શકાય છે. આ વાતને જણાવતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે – શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવાદિપૂજા આ ત્રણ લિંગો શક્તિ અનુસાર સમ્યગ્દષ્ટિ આત્માનાં હોય છે – એમ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. “યોગબિંદુ ગ્રંથમાં (શ્લો.નં. ૨૫૩) જે જણાવ્યું છે તેનો આશય એ છે કે, સમ્યગ્દષ્ટિ આત્માનાં શુશ્રુષાદિ ત્રણ લિંગો-અનુમાપક છે. તેઓ પોતાના સામર્થ્યને અનુરૂપ શુશ્રુષાદિને ધરનારા છે. સદ્ધર્મ-પ્રતિપાદક શાસશ્રવણની ઇચ્છાને અહીં શુશ્રુષા તરીકે વર્ણવી છે. માત્ર ઇચ્છા શુશ્રુષા નથી, શ્રવણની ઇચ્છા શુશ્રુષા નથી, શાસ્ત્રશ્રવણની ઇચ્છા શુશ્રુષા નથી અને ધર્મપ્રતિપાદક શાસશ્રવણની ઇચ્છા પણ શુશ્રુષા નથી; પરંતુ સધર્મ-પ્રતિપાદક શાસ્ત્રશ્રવણની ઇચ્છા શુશ્રુષા છે. તેવી શુશ્રુષા જ સમ્યગ્દષ્ટિ આત્માના સમ્યગ્દર્શનને જણાવનારી છે. આથી આપણને આપણા સમ્યગ્દર્શનના પરિણામનો થોડો થોડો અણસાર લાવવો હોય તો આવી શકે છે. ચારિત્રધર્મના અનુરાગને અહીં ધર્મરાગ તરીકે વર્ણવ્યો છે. માત્ર ધર્મ પ્રત્યેનો રાગ એ ધર્મરાગ નથી. માર્ગાનુસારી ધર્મ, સમ્યગ્દર્શન કે દેશવિરતિને અનુરૂપ ધર્મ પ્રત્યેનો રાગ પણ અહીં ધર્મરાગસ્વરૂપે વર્ણવ્યો નથી. પરંતુ ચારિત્રધર્મ પ્રત્યેનો જે અનુરાગ છે તેને ધર્મરાગ તરીકે એક પરિશીલન ૨૭૧
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy