SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ युक्तं चैतन्मले तीव्र भवासङ्गो न हीयते । सङ्क्लेशायोगतो मुख्या सान्यथा नेति हि स्थितिः ॥१४-५॥ युक्तमिति-एतच्च एतदपि युक्तं । तीवेऽत्यन्तमुत्कटे । मले कर्मबन्धलक्षणे । भवासङ्गः संसारप्रतिबन्धः । न हीयते शेषजन्तोः । मनागपि हि तन्निवृत्तौ तस्यापुनर्बन्धकत्वमेव स्यादिति । सङ्क्लेशायोगतः पुनरतितीव्रसङ्क्लेशाप्राप्तौ । सा पूर्वसेवा । मुख्या उत्तरोत्तरभववैराग्यादिकल्याणनिमित्तभावाद् । अन्यथा नेति हि स्थितिः शास्त्रमर्यादा ||१४-५।। આ વાત પણ યુક્ત છે. કારણ કે મલ તીવ્ર હોવાથી સબન્ધકાદિ આત્માઓનો ભવનો રાગ ઓછો થતો નથી. અતિ તીવ્ર સંક્લેશનો યોગ ન હોય તો તે યોગપૂર્વસેવા મુખ્ય મનાય છે. અન્યથા - અતિતીવ્ર સંક્લેશના યોગમાં એ મુખ્ય મનાતી નથી.” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે અપુનર્બન્ધક આત્માઓને છોડીને બાકીના સબન્ધકાદિને યોગની પૂર્વસેવા ઔપચારિક હોય છે – એ પ્રમાણે જણાવ્યું છે - તે પણ યુક્ત છે. કારણ કે કર્મબંધ-સ્વરૂપ મલ અત્યંત ઉત્કટ હોવાથી તે સકુર્બન્ધકાદિ આત્માઓનો સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો નથી. સકુબન્ધકાદિ આત્માઓનો એ ભવનો રાગ થોડો પણ દૂર થાય તો તેઓ સક્રબંધક મટી જઈને, અપુનર્બન્ધક અવસ્થાને જ પામી જાય. આથી માનવું પડે કે સકૃબંધકાદિ આત્માઓને કર્મબંધસ્વરૂપ મલ અત્યંત ઉત્કટ હોય છે અને તેથી તેમનો સંસાર પ્રત્યેનો પ્રતિબંધ(રાગ) ઓછો થતો નથી. યોગની પૂર્વસેવા ત્યારે મુખ્ય મનાય છે કે જયારે તે આત્માઓને અત્યંતતીવ્રસંક્લેશ પ્રાપ્ત થતો ન હોય. આવી અવસ્થામાં જ યોગની પૂર્વસેવા ક્રમે કરીને ભવવૈરાગ્ય અને મુક્તિ પ્રત્યેનો રાગ વગેરે કલ્યાણમાં નિમિત્ત બને છે, તેથી તે મુખ્ય મનાય છે. સંક્લેશ તીવ્ર હોય તો યોગપૂર્વસેવા એવા પ્રકારના કલ્યાણમાં નિમિત્ત બનતી ન હોવાથી તેને મુખ્ય મનાતી નથી - આવી જાતિની શાસ્ત્રમર્યાદા છે. સબંધકાદિ આત્માઓને સંક્લેશનો અયોગ હોતો નથી. તેથી તેમને યોગની પૂર્વસેવા મુખ્ય હોતી નથી. II૧૪-પી. પાંચમા શ્લોકથી સ્પષ્ટ થયેલી વાતને જણાવીને પ્રકૃતાર્થનું સમાપન કરાય છે– एष्यद्भद्रां समाश्रित्य पुंसः प्रकृतिमीदृशीम् । વ્યવહાર: સ્થિત: શાસ્ત્ર મુમુe તતો ય ૧૪-દ્દા एष्यन्द्रामिति-ईदृशीं । सङ्क्लेशायोगविशिष्टां । एष्यन्द्रां कल्याणानुबन्धिनीं । पुंसः समाश्रित्य । व्यवहारः पूर्वसेवादिरूपः । स्थितः प्रसिद्धः । शास्त्रे योगग्रन्थे । ततो ह्यद एतद्युक्तमुक्तं, यदुतान्यत्रोपचारत વ પૂર્વતિ I9૪-દ્દા એક પરિશીલન ૨૩૩
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy