SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાનો આશય સ્પષ્ટ છે કે પંચસૂત્રકવૃત્તિમાં શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાને સમજવા માટે માર્ગપતિત અને માર્ગાભિમુખ આત્માઓને પણ યોગ્ય જણાવ્યા હોવા છતાં અપુનર્બન્ધકદશાને પામેલા આત્માઓ કરતાં તેઓ દૂર છે અર્થાતુ અપુનર્બન્ધકદશાને તેઓ પામેલા નથી. તેથી અપુનર્બન્ધક આત્માઓથી તેઓ જુદા છે – એ પ્રમાણે કેટલાક લોકો કહે છે. સક્રબન્ધક કે કિર્બન્ધક આત્માઓની યોગપૂર્વસેવા ઉપચારને આશ્રયીને હોવા છતાં અપુનર્બન્ધક આત્માઓની યોગપૂર્વસેવાથી તે સાવ જ જુદી નથી. કારણ કે અપુનર્બન્ધક આત્માઓની સમીપમાં જ તેઓ છે. સકુબન્ધક, માર્ગાભિમુખ, માર્ગપતિત અને અપુનર્બન્ધક - આ રીતે કેટલાકના મતે અવસ્થાનો ક્રમ છે. અપુનર્બન્ધકદશાની છે તે પૂર્વાવસ્થામાં થોડો થોડો ફરક છે. સકુબન્ધકો એકવાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને કે રસને બાંધવાના છે. માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓ તેવી કર્મસ્થિતિ વગેરેને બાંધતા નથી. પરંતુ તેઓ અપુનર્બન્ધકદશાથી દૂર હોય છે. અપુનર્બન્ધક આત્માઓ તો તેવી કર્મસ્થિતિ વગેરેને બાંધવા માટેની યોગ્યતાથી પણ રહિત હોય છે... ઇત્યાદિ થોડો થોડો ફરક તે તે આત્માઓમાં હોય છે. સ્પષ્ટપણે તે સમજી લેવો જોઈએ. અન્યથા સકબંધકાદિ આત્માઓની યોગપૂર્વસેવામાં ભેદ જણાશે નહિ. /૧૪- અહીંઔપચારિક યોગપૂર્વસેવાનું વર્ણન કેમ કર્યું છે- એ પ્રશ્નના સમાધાન માટે જણાવાયછે– परिणामिनि कार्याद्धि सर्वथा नास्ति भिन्नता । तत्प्रकृत्या विनाप्यूहमन्यत्रैनां परे जगुः ॥१४-४॥ परिणामिनीति कार्याद् हि परिणामिनि सर्वथा भिन्नता नास्ति । यथा घटादेर्मुत्पिण्डादौ । एवमपुनबन्धकादेरपि सकृद्बन्धकादौ न सर्वथा भिन्नतेति भावनीयं । तदुक्तं “कृतश्चास्या उपन्यासः शेषापेक्षोऽपि कार्यतः । नासन्नोऽप्यस्य बाहुल्यान्नान्यथेति प्रदर्शकः ।।१।।” [योगबिन्दु १८० श्लो.] परे पुनरन्यत्र सकृद्बन्धकादावनालोचनगर्भत्वाद्भवस्वरूपनिर्णायकोहापोहाद्यभावसङ्गतत्वादेनामुपचरितां पूर्वसेवां जगुः प्राहुः । प्राचि पक्षे कारणे कार्योपचारः, अत्र त्वनालोचनद्वाराऽमुख्यत्वरूप उपचार इति विशेषः ।।१४-४॥ અહીં એ વસ્તુ સમજી લેવી જોઈએ કે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે યોગના અધિકારી તરીકે અપુનર્બન્ધક આત્માઓનું વર્ણન આ બત્રીશીમાં મુખ્યપણે કરવાનું છે. એની સાથે આપણે એ પણ સમજી શકીએ છીએ કે આ પૂર્વે જણાવેલી યોગપૂર્વસેવા જેમને તાત્ત્વિક રીતે પરિણમેલી હોય તેઓને જ યોગનો અધિકાર હોય. અપુનર્બન્ધક આત્માઓ અને તે અવસ્થાવિશેષને પામેલા માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માઓને યોગની પૂર્વસેવા તાત્ત્વિક હોવાથી યોગના અધિકારી તરીકે તેમનું વર્ણન કરવાનું ઉચિત જ છે. પરંતુ જેમને યોગપૂર્વસેવા ઉપચારથી જ છે તેમનો ઉપન્યાસ અહીં શા માટે કર્યો છે? તેમ જ તેમની ઔપચારિક યોગપૂર્વસેવાનું વર્ણન અહીં કેમ १. शेषापेक्षोऽपि-अपुनर्बन्धकादन्यो यो सकृदबन्धकादिस्तदपेक्षः । तत्सम्बन्धी । એક પરિશીલન * ૨૩૧
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy