SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આવિર્ભાવ થાય છે. શુક્લપક્ષના પ્રારંભે આવિર્ભાવ પામેલી ચંદ્રમાની કલા; વધતી વધતી જેમ સોળે કલાથી પરિપૂર્ણ ચંદ્રમા સ્વરૂપ; કાલાંતરે થાય છે તેમ કાલાંતરે આ અપુનર્બન્ધકદશાના ગુણો પરિપૂર્ણ બને છે. આ બત્રીશીમાં તેમ જ યોગદષ્ટિસમુચ્ચયમાં વર્ણવેલી “અપુનર્બન્ધકદશાને સમજવા માટેની યોગ્યતા પણ; અપુનર્બન્ધકાવસ્થાને પ્રાપ્ત કરવાથી જ પ્રાપ્ત થાય છે. પાપની વૃત્તિની તીવ્રતા ઘટે, સંસાર ઉપરનું બહુમાન નાશ પામે અને સર્વત્ર ઔચિત્યનું આસેવન કરાય તો અપુનર્બન્ધકદશાને પામવાનું શક્ય બને. ૧૪- અપુનર્બન્ધક આત્માને અને સમૃએિકવાર ઉત્કૃષ્ટ સ્થિતિના)બન્ધકાદિ આત્માને પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ યોગ્યતાની ભિન્નતાએ તેઓમાં ભેદ-વિશેષતા છે, તે જણાવાય છે– अस्यैव पूर्वसेवोक्ता मुख्याऽन्यस्योपचारतः । अस्यावस्थान्तरं मार्गपतिताभिमुखौ पुनः ॥१४-२॥ अस्यैवेति-अस्यैव अपुनर्बन्धकस्यैव । उक्ता गुर्वादिपूजालक्षणा पूर्वसेवा मुख्या कल्याणाशययोगेन निरुपचरिता । अन्यस्यापुनर्बन्धकातिरिक्तस्य सकृबन्धकादेः पुनरुपचारतः सा । तथाविधभववैराग्याभावात् । मार्गपतितमार्गाभिमुखौ पुनरस्यापुनर्बन्धकस्यावस्थान्तरं दशाविशेषरूपौ । मार्गो हि चेतसोऽवक्रगमनं भुजङ्गमनलिकायानतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः, तत्र प्रविष्टो मार्गपतितः । मार्गप्रवेशयोग्यभावापन्नश्च मार्गाभिमुख इति । न ह्येतावपुनर्बन्धकावस्थायाः परतरावस्थाभाजी भगवदाज्ञावगमयोग्यतया पञ्चसूत्रकवृत्तावनयोरुक्तत्वात् ।।१४-२॥ યોગની પૂર્વસેવા અપુનર્બન્ધક આત્માઓની જ મુખ્ય છે. એમને છોડીને બીજાઓની યોગપૂર્વસેવા ઉપચારથી (ગૌણ) છે. માર્ગપતિત અને માર્ગાભિમુખ અવસ્થાઓ અપુનર્બન્ધક આત્માની અવસ્થાંતર છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આ પૂર્વે યોગની પૂર્વસેવા તરીકે ગુરુદેવાદિપૂજા વગેરેનું વર્ણન કર્યું છે. એ ગુરુદેવાદિની પૂજા વગેરે સ્વરૂપ યોગપૂર્વસેવા; અપુનર્બન્ધકદશાને પામેલા જીવોને ઉપચારથી રહિત-મુખ્ય (તાત્ત્વિક). હોય છે. કારણ કે તેઓને સંસાર પ્રત્યે બહુમાન ન હોવાથી તેમનો કલ્યાણાશય (થોડો મોક્ષને અનુકૂળ ભાવ) હોય છે. અપુનર્બન્ધકદશાને પામેલા જીવોથી અન્ય સ(એકવાર)બન્ધક (મિથ્યાત્વ વગેરે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કે રસના બન્ધક) અને દ્વિર્બન્ધક વગેરે આત્માઓને તે યોગપૂર્વસેવા ઔપચારિક હોય છે. કારણ કે તેમને તેવા પ્રકારનો વૈરાગ્ય હોતો નથી. સંસાર ઉપરનું બહુમાન ઘટ્યા વિના વૈરાગ્યનો સંભવ નથી. સબન્ધક અને દ્વિર્બન્ધકાદિને સંસાર પ્રત્યે બહુમાન હોય છે. અપુનર્બન્ધકદશાને પામેલા જીવોને જ મુખ્ય યોગપૂર્વસેવા છે - એમ માનીએ તો માગભિમુખ અને માર્ગપતિત આત્માઓને યોગપૂર્વસેવા ઔપચારિક હોય છે, એ પ્રમાણે એક પરિશીલન ૨૨૯
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy