SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ लाभेति-व्यापन्नदर्शनानां हि द्रव्यलिङ्गिनामुपाये चारित्रक्रियादौ लाभाद्यर्थितयैव न द्वेषो रागसामग्र्यां द्वेषानवकाशात् । फले च मोक्षरूपेऽप्रतिपत्तित एव न द्वेषः । न हि ते मोक्षं स्वर्गादिसुखादिन्नं प्रतीयन्ति यत्र द्वेषावकाशः स्यात् । स्वर्गादिसुखाभिन्नत्वेन प्रतीयमाने तु तत्र तेषां राग एव । वस्तुतो भिन्नस्य तस्य प्रतीतावपि स्वेष्टविघातशङ्कया तत्र द्वेषो न स्यादिति द्रष्टव्यम् ।।१३-४॥ જેમનું સમ્યગ્દર્શન નાશ પામ્યું છે; એવા દ્રવ્યથી શ્રમણપણાના લિંગને ધરનારાઓને; તેઓ લાભાદિના અર્થી હોવાથી તેના ઉપાયમાં અને ફળને માનતા ન હોવાથી ફળ-મોક્ષમાં દ્વેષનો સંભવ હોતો નથી.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે વ્યાપન્નદર્શનવાળા (મિથ્યાત્વને પામેલા) દ્રવ્યથી શ્રમણપણાનું અખંડ પાલન કરનારાને તેઓ લાભના (પૂજદિના) અર્થી હોવાથી જ તેના ઉપાયભૂત ચારિત્રક્રિયા વગેરેમાં દ્વેષ થતો નથી. કારણ કે રાગની સામગ્રીમાં દ્વેષનો સંભવ નથી અને ચારિત્રના ફળ સ્વરૂપ મોક્ષને તેઓ સ્વીકારતા નથી, તેથી જ તેમાં તેમને દ્વેષ થતો નથી. તેઓ સ્વર્ગાદિસુખને છોડીને બીજું કોઈ મોક્ષતત્ત્વ માનતા નથી કે જેથી તેમાં તેમને દ્વેષનો અવકાશ રહે. ઉપરથી સ્વર્ગાદિસુખથી અભિન્ન એવા મોક્ષને માનવાથી તો તેમાં તેમને રાગ જ થાય છે. આ રીતે તો સ્વર્ગાદિસુખોથી અતિરિક્ત મોક્ષને ન માનવાથી મુક્તિ પ્રત્યે અદ્વેષ થતો હોવાથી; તે દ્વેષ અજ્ઞાનમૂલક છે. એવો મુક્યષ તો ઘણાને હોય છે. તેથી તે બધાને નવમા રૈવેયકની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે અખંડ શ્રમણ્યક્રિયાના પાલનને જ નવમા રૈવેયકની પ્રાપ્તિમાં મુખ્ય કારણ માનવું જોઈએ. તેથી વસ્તુનો... ઇત્યાદિ ગ્રંથ છે. તેનો આશય સ્પષ્ટ છે કે, પૂજાદિના લાભ માટે દ્રવ્યથી શ્રમણપણાનું પરિપાલન કરનારને એનો ખ્યાલ છે કે પોતાને જે ઈષ્ટ છે તેની પ્રાપ્તિ; મોક્ષ પ્રત્યે દ્વેષ કરવાથી તો નહીં જ થાય. તેથી મોક્ષ પ્રત્યેનો દ્વેષ પોતાના ઈષ્ટનો વિઘાત કરનારો છે... એમ સમજીને તેઓ મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા નથી... ઇત્યાદિ વિચારવું જોઇએ. ૧૩-૪ “મુક્યષ'ની પ્રશંસાનું કારણ જણાવાય છે मुक्तौ च मुक्त्युपाये च, मुक्त्यर्थं प्रस्थिते पुनः । यस्य द्वेषो न तस्यैव, न्याय्यं गुर्वादिपूजनम् ॥१३-५॥ મુક્કી વેતિસ્પષ્ટ: I9રૂ-ધા કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે અદ્વેષ આ ચાર સ્વરૂપ યોગની પૂર્વસેવા; આ પૂર્વે વર્ણવી છે. આ ચારમાં પણ મુક્તિ પ્રત્યેના અષની પ્રશંસા યોગીન્દ્ર પુરુષો કરે છે. તેનું કારણ આ શ્લોકથી જણાવાય છે. “મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન ૨૦૨ મુજ્યષપ્રાધાન્ય બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy