________________
प्रतिबिम्ब्यमानच्छायासदृशच्छायान्तरोद्भव एव प्रतिबिम्बशब्देनोच्यते । पुंसि पुनरयं भोगो भेदाग्रहादत्यन्तसान्निध्येन विवेकाग्रहणाव्यपदिश्यते । यत्तु “व्यापकस्यातिनिर्मलस्य चात्मनः कथं सत्त्वे प्रतिबिम्बनमिति तन्न, व्यापकस्याप्याकाशस्य दर्पणादावप्रकृष्टनैर्मल्यवति च जलादावादित्यादीनां प्रतिबिम्बदर्शनात्, स्वस्थितचिच्छायाभिव्यक्तिरूपस्य प्रतिबिम्बस्य प्रतिबिम्बान्तरवैलक्षण्याच्चेति भोजः” ।।११-१७।।।
બુદ્ધિના સાત્ત્વિક પરિણામમાં, પુરુષમાં રહેલી જેચિછાયાછે તેના જેવી જે પોતાની બીજી છાયા છે; તેની જે અભિવ્યક્તિ છે તે સ્વરૂપ પ્રતિબિંબાત્મક ભોગ પુરુષમાં ભેદજ્ઞાનના અભાવે મનાય છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ રજોગુણ અને તમોગુણથી અનભિભૂત ચિત્તના શુદ્ધ સાત્ત્વિક પરિણામ સ્વરૂપ સત્ત્વમાં; પુરુષમાં રહેલી એનિત્યોદિતચિત્ છાયાછે, તેના જેવી બીજી પોતાની ચિછાયાછે, તે બીજી ચિચ્છાયાની અભિવ્યક્તિ સ્વરૂપ પુરુષનું પ્રતિબિંબ છે. અન્યત્ર લોકમાં પણ પ્રતિબિંબ-દર્પણમાં પ્રતિબિંખ્યમાન ઘટાદિની છાયા જેવી છાયાંતરનો જે ઉદ્ભવ થાય છે તેને પ્રતિબિંબ શબ્દથી વર્ણવાય છે.
પુરુષમાં આ પ્રતિબિંબાત્મક ભોગ ભેદાગ્રહના કારણે છે. પુરુષ અને ચિત્તના અત્યંત સાંનિધ્યને લઈને વિવેક(ભેદ)નો ગ્રહ થયેલો ન હોવાથી પુરુષમાં ઉપર જણાવ્યા મુજબ ભોગનો વ્યપદેશ(વ્યવહાર) થાય છે, જે વાસ્તવિક નથી પરંતુ ઔપાધિક છે.
“અત્યંત નિર્મળ અને વ્યાપક એવા આત્માનું પ્રતિબિંબ સત્ત્વમાં કેવી રીતે પડે? (અર્થાત ન પડે) આવું જ કહેવાય છે; તે બરાબર નથી. કારણ કે વ્યાપક એવા આકાશનું દર્પણમાં પ્રતિબિંબ પડે છે અને સામાન્યતઃ સ્વચ્છ એવા પાણી વગેરેમાં સૂર્ય વગેરેનું પ્રતિબિંબ પડતું દેખાય છે. પુરુષમાં રહેલી ચિચ્છાયાની અભિવ્યક્તિ સ્વરૂપ આ પ્રતિબિંબ લોકપ્રસિદ્ધ પ્રતિબિંબથી વિલક્ષણ હોવાથી તાદશ પ્રતિબિંબ પડી શકે છે...” આ પ્રમાણે ભોજ વિદ્વાન કહે છે. II૧૧-૧૭ના
આથી, બ્લોક નં. ૧૨ થી જણાવેલ અતિપ્રસંગનું નિવારણ થઈ જાય છે, તે જણાવાય છે
इत्थं प्रत्यात्मनियतं, बुद्धितत्त्वं हि शक्तिमत् ।
निर्वाहे लोकयात्रायास्ततः क्वातिप्रसञ्जनम् ॥११-१८॥ इत्थमिति-इत्थमुक्तप्रकारेण । प्रत्यात्मनियतमात्मानमात्मानं प्रति नियतफलसम्पादकं । बुद्धितत्त्वं हि लोकयात्राया लोकव्यवहारस्य । निर्वाहे व्यवस्थापने । शक्तिमत् समर्थं । ततः क्वातिप्रसञ्जनं योगादेकस्य मुक्तावन्यस्यापि मुक्त्यापत्तिरूपं । प्रकृतेः सर्वत्रैकत्वेऽपि बुद्धिव्यापारभेदेन भेदोपपत्तेः । तथा च सूत्रं“कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वादिति” [२-२२] ।।११-१८।।
આશય એ છે કે પૂર્વે તરાપ ચૈત્વે.. ઇત્યાદિ ગ્લો. નં. ૧૨ થી પ્રકૃતિને એક માનવાથી એકની મુક્તિ થયે છતે; બધાનો મોક્ષ થઈ જશે - આ પ્રમાણે જે અતિપ્રસંગ દોષ (અમુક્તમાં મુક્તત્વ માનવાનો અતિપ્રસંગ) જણાવ્યો હતો, તે દોષ હવે આવતો નથી – એમ જણાવાય છે. ૧૩૦
પાતંજલયોગલક્ષણ બત્રીશી