________________
બત્રીશીના અંતભાગમાં સાખ્યદર્શનપ્રસિદ્ધ મોક્ષ પણ ખરેખર તો વાસ્તવિક નથી. તેથી તેમના યોગશાસ્ત્રના ઉપદેશનો કોઈ જ અર્થ નથી. એ સમજાવીને જૈન દર્શનની વાસ્તવિકતાનું સમર્થન કર્યું છે. અંતે પતંજલિપ્રણીત યોગલક્ષણ સદોષ હોવાથી; નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાએ સગત એવા શ્રી જૈનદર્શનપ્રસિદ્ધ યોગના લક્ષણની ઉપાદેયતાનું સમર્થન કર્યું છે. એ મુજબ યોગલક્ષણની વાસ્તવિકતાને સમજી વિચારીને વાસ્તવિક યોગને પ્રાપ્ત કરવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
એક પરિશીલન
૧૧૧